February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી શ્રી મુબીનભાઈ શેખનું આજરોજ સાંજના ચાર કલાકે આકસ્‍મિક મોત થતા એમના પરિવાર તેમજ મિત્ર વર્ગમાં દુઃખની લાગણી છવાઈ જવા પામી છે. શ્રી મુબીનભાઈ શેખ નિયમના પરિઘમાં રહી સૈદ્ધાંતિક રીતે કામ કરવાની ત્રેવડ માટે જાણીતા હતા. સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલા હતા અને સરીગામ જીઆઈડીસીની કંપનીઓમાં આગલાગવાથી ઘટના સમયે મદદ માટે એમની ટીમ સાથે કાયમ તત્‍પર રહેતા અને મદદરૂપ થતાં હતા.
આજ રોજ સાંજના ચાર કલાકના અરસામાં ફરજ ઉપર હાજર હતા એ સમય દરમિયાન કંપનીની ઓફિસમાં જ ખુરશી ઉપર બેભાન અવસ્‍થામાં ઢળી પડ્‍યા હતા. જેને તાત્‍કાલિક વાપીની હરિયા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં એમનું દુઃખદ અવસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એમનો જનાજો એમના નિવાસ્‍થાન વલસાડ અબ્રામા ખાતેથી નીકળશે.

Related posts

વાપીની પોલીબોન્ડ કંપનીનાં ૩ કામદારોને ગેસની અસર થતાં સારવાર માટે ખસેડાયાઃ કામદારો સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના ગેસનો ભોગ બન્યા

vartmanpravah

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment