Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના કુડાડાચા ગામે એક કિશોરે અગમ્‍ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી હોવાનીમાહિતી મળી.
પ્રાપ્ત વિગત અનુસાર 17 વર્ષીય કિશોર જે ધોરણ નવ સુધી ભણ્‍યો હતો, એના માતા-પિતા ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે, જેઓ સવારે ઘરેથી દુકાનમાં અનાજ લેવા ગયા હતા તે સમયે કોઈક અગમ્‍ય કારણોસર કિશોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. જ્‍યારે એના માતા-પિતા ઘરે પરત આવ્‍યા ત્‍યારે જોયું તો એમનો દીકરો ગળે ફાંસો લગાવેલ હાલતમાં લટકતો જોવા મળ્‍યો હતો.
આ ઘટના અંગે રખોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસની ટીમ આવી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપવામાં આવી હતી.
મળેલ માહિતી અનુસાર જ્‍યારથી આ બાળકે ભણવાનું છોડી દીધું હતું ત્‍યારથી ગામમા રખડપટ્ટી કરતો હતો હતો. પરંતુ કયા કારણસર એણે આત્‍મહત્‍યા કરી એ હજી સુધી જાણવા મળ્‍યું નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

vartmanpravah

વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્‍સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્‍પુથી હુમલો કર્યો

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment