March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના કુડાડાચા ગામે એક કિશોરે અગમ્‍ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી હોવાનીમાહિતી મળી.
પ્રાપ્ત વિગત અનુસાર 17 વર્ષીય કિશોર જે ધોરણ નવ સુધી ભણ્‍યો હતો, એના માતા-પિતા ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે, જેઓ સવારે ઘરેથી દુકાનમાં અનાજ લેવા ગયા હતા તે સમયે કોઈક અગમ્‍ય કારણોસર કિશોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. જ્‍યારે એના માતા-પિતા ઘરે પરત આવ્‍યા ત્‍યારે જોયું તો એમનો દીકરો ગળે ફાંસો લગાવેલ હાલતમાં લટકતો જોવા મળ્‍યો હતો.
આ ઘટના અંગે રખોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસની ટીમ આવી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપવામાં આવી હતી.
મળેલ માહિતી અનુસાર જ્‍યારથી આ બાળકે ભણવાનું છોડી દીધું હતું ત્‍યારથી ગામમા રખડપટ્ટી કરતો હતો હતો. પરંતુ કયા કારણસર એણે આત્‍મહત્‍યા કરી એ હજી સુધી જાણવા મળ્‍યું નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

Leave a Comment