April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના કુડાડાચા ગામે એક કિશોરે અગમ્‍ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી હોવાનીમાહિતી મળી.
પ્રાપ્ત વિગત અનુસાર 17 વર્ષીય કિશોર જે ધોરણ નવ સુધી ભણ્‍યો હતો, એના માતા-પિતા ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે, જેઓ સવારે ઘરેથી દુકાનમાં અનાજ લેવા ગયા હતા તે સમયે કોઈક અગમ્‍ય કારણોસર કિશોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. જ્‍યારે એના માતા-પિતા ઘરે પરત આવ્‍યા ત્‍યારે જોયું તો એમનો દીકરો ગળે ફાંસો લગાવેલ હાલતમાં લટકતો જોવા મળ્‍યો હતો.
આ ઘટના અંગે રખોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસની ટીમ આવી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપવામાં આવી હતી.
મળેલ માહિતી અનુસાર જ્‍યારથી આ બાળકે ભણવાનું છોડી દીધું હતું ત્‍યારથી ગામમા રખડપટ્ટી કરતો હતો હતો. પરંતુ કયા કારણસર એણે આત્‍મહત્‍યા કરી એ હજી સુધી જાણવા મળ્‍યું નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહઃ સાયલીમાં ટેમ્‍પો રિવર્સ લેતી વખતે યુવાન નીચે આવી જતાં ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

Leave a Comment