(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના કુડાડાચા ગામે એક કિશોરે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનીમાહિતી મળી.
પ્રાપ્ત વિગત અનુસાર 17 વર્ષીય કિશોર જે ધોરણ નવ સુધી ભણ્યો હતો, એના માતા-પિતા ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે, જેઓ સવારે ઘરેથી દુકાનમાં અનાજ લેવા ગયા હતા તે સમયે કોઈક અગમ્ય કારણોસર કિશોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે એના માતા-પિતા ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો એમનો દીકરો ગળે ફાંસો લગાવેલ હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.
આ ઘટના અંગે રખોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસની ટીમ આવી લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.
મળેલ માહિતી અનુસાર જ્યારથી આ બાળકે ભણવાનું છોડી દીધું હતું ત્યારથી ગામમા રખડપટ્ટી કરતો હતો હતો. પરંતુ કયા કારણસર એણે આત્મહત્યા કરી એ હજી સુધી જાણવા મળ્યું નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.