April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: નવસારી સ્‍થિત સૃષ્ટિ રેસ્‍ટોરેન્‍ટમાં જેસીઆઈ નવસારીનો 56મો એવૉર્ડ સમારંભ તેમજ 57મો સ્‍થાપનાદિન ઉજવવામાં આવ્‍યો હતો. આ સમારોહમાં 2023 આવનાર નવા પ્રેસિડેન્‍ટ જેસી શ્રી હાર્દિકભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. 2022ના વર્ષના પ્રેસિડન્‍ટ જેસી શ્રી કેવલભાઈ શાહ તેમજ એમની ટીમ દ્વારા વર્ષ દરમિયાન કરેલ પ્રોજેકટ, સેમિનાર, સામાજિક કાર્યોનો અહેવાલ આપવામાં આવ્‍યો હતો તેમજ નવા બનનાર પ્રેસિડેન્‍ટ તેમજ એમનીનવી ટીમને શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન થયેલ કાર્યો બદલ સારો દેખાવ કરનાર કાર્યકારી સભ્‍યોને એવોર્ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મુખ્‍ય અતિથિ તરીકે સ્‍વસ્‍તિક ગ્રુપના શ્રી પરેશ રાઠોડ, ટાટા બોયઝ શાળાના પ્રિન્‍સિપાલ શ્રી બોમી જાગીરદાર, ઝેવીપી શ્રી નૈનેશ પટેલ, કીનોટ સ્‍પીકર તરીકે શ્રી કમલેશ ઠક્કર હાજર રહ્યા હતા. જેસીઆઈ વલસાડના પ્રેસિડન્‍ટ તેમજ નવા બનવા જનાર પ્રેસિડન્‍ટ તેમજ એમની ટીમ તથા વાંસદાના પ્રેસિડન્‍ટ અને એમની ટીમ પણ હાજર રહી સમારંભની શોભા વધારી હતી. જેસીઆઈ નવસારીના દરેક સભ્‍યો જેમાં જૂનિયર્સ જેસીસ, જેકોમના સભ્‍યો, ભૂતપૂર્વ પ્રેસિડેન્‍ટ્‍સ, સિનિયર્સ જેસીઆઈ નવસારી પરિવાર હાજર રહી કાર્યક્રમને રંગેમચે માણ્‍યો હતો.

Related posts

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

ચીખલી બસ સ્‍ટેન્‍ડમાં હોર્ડિંગ ગમે ત્‍યારે તૂટી પડે તેવી સ્‍થિતિમાં! : કોઈ જાનહાની થાય તે પૂર્વે એસટી તંત્ર સાવચેતીના પગલા ભરે તે જરૂરી

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા રૂા.3 કરોડ સુધી લોન સહાય અપાશે

vartmanpravah

Leave a Comment