April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

દક્ષિણ ગુજરાતના તેજતર્રાર અને જાણિતા પત્રકાર શ્રી યુસુફભાઈ શેખ ફાની દુનિયા છોડીને ચાલી ગયા હોવાની આજે ખબર મળતાં ‘લોક પ્રહરી’માં તેમની સાથે ગાળેલો સમય તાજો થયો. ‘લોક પ્રહરી’ યુસુફભાઈ શેખનું માનસ સંતાન હતું. તેમાં મને દાદરા નગરહવેલી અને દમણ-દીવના નિવાસી તંત્રી તરીકેની કામ કરવા મળેલી તક આજે પણ યાદગાર રહી છે. શ્રી યુસુફભાઈ શેખનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા હૃદયને સ્‍પર્શતી હતી.
હમણાં એકાદ મહિના પહેલાં શ્રી યુસુફભાઈ શેખના હાથમાં ‘વર્તમાન પ્રવાહ’ આવ્‍યું ત્‍યારે તેમણે રાજીના રેડ થઈને મારી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. ત્‍યારે મને ખબર પડી કે તેઓ કેન્‍સરના રોગથી પિડાઈ રહ્યા હતા. રૂબરૂ મળવાની ખુબ ઈચ્‍છા હતી પરંતુ પરમ કૃપાળુ પરમાત્‍માએ આ ઈચ્‍છાને અધુરી રાખી છે. તેમની સાથે પસાર કરેલો સમય ખરેખર જીવનનો એક લ્‍હાવો હતો.
આજે શ્રી યુસુફભાઈ શેખ હયાત નથી પરંતુ તેમણે પત્રકારત્‍વમાં બતાવેલી નિષ્‍ઠા અને બેદાગ રાખેલી પોતાની પ્રતિભાથી હંમેશા ચિરંજીવ રહેશે.

Related posts

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment