Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

દક્ષિણ ગુજરાતના તેજતર્રાર અને જાણિતા પત્રકાર શ્રી યુસુફભાઈ શેખ ફાની દુનિયા છોડીને ચાલી ગયા હોવાની આજે ખબર મળતાં ‘લોક પ્રહરી’માં તેમની સાથે ગાળેલો સમય તાજો થયો. ‘લોક પ્રહરી’ યુસુફભાઈ શેખનું માનસ સંતાન હતું. તેમાં મને દાદરા નગરહવેલી અને દમણ-દીવના નિવાસી તંત્રી તરીકેની કામ કરવા મળેલી તક આજે પણ યાદગાર રહી છે. શ્રી યુસુફભાઈ શેખનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા હૃદયને સ્‍પર્શતી હતી.
હમણાં એકાદ મહિના પહેલાં શ્રી યુસુફભાઈ શેખના હાથમાં ‘વર્તમાન પ્રવાહ’ આવ્‍યું ત્‍યારે તેમણે રાજીના રેડ થઈને મારી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. ત્‍યારે મને ખબર પડી કે તેઓ કેન્‍સરના રોગથી પિડાઈ રહ્યા હતા. રૂબરૂ મળવાની ખુબ ઈચ્‍છા હતી પરંતુ પરમ કૃપાળુ પરમાત્‍માએ આ ઈચ્‍છાને અધુરી રાખી છે. તેમની સાથે પસાર કરેલો સમય ખરેખર જીવનનો એક લ્‍હાવો હતો.
આજે શ્રી યુસુફભાઈ શેખ હયાત નથી પરંતુ તેમણે પત્રકારત્‍વમાં બતાવેલી નિષ્‍ઠા અને બેદાગ રાખેલી પોતાની પ્રતિભાથી હંમેશા ચિરંજીવ રહેશે.

Related posts

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેશન પ્રોડક્‍ટ પ્રા. લિ. કંપનીએ આદિવાસીની જમીન પર કરેલા ગેરકાયદેસર કબજા સામે ચાલુ કરેલી તપાસમાં અધિકારીઓની ઢીલી નીતિ

vartmanpravah

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

Leave a Comment