December 9, 2023
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

દક્ષિણ ગુજરાતના તેજતર્રાર અને જાણિતા પત્રકાર શ્રી યુસુફભાઈ શેખ ફાની દુનિયા છોડીને ચાલી ગયા હોવાની આજે ખબર મળતાં ‘લોક પ્રહરી’માં તેમની સાથે ગાળેલો સમય તાજો થયો. ‘લોક પ્રહરી’ યુસુફભાઈ શેખનું માનસ સંતાન હતું. તેમાં મને દાદરા નગરહવેલી અને દમણ-દીવના નિવાસી તંત્રી તરીકેની કામ કરવા મળેલી તક આજે પણ યાદગાર રહી છે. શ્રી યુસુફભાઈ શેખનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા હૃદયને સ્‍પર્શતી હતી.
હમણાં એકાદ મહિના પહેલાં શ્રી યુસુફભાઈ શેખના હાથમાં ‘વર્તમાન પ્રવાહ’ આવ્‍યું ત્‍યારે તેમણે રાજીના રેડ થઈને મારી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. ત્‍યારે મને ખબર પડી કે તેઓ કેન્‍સરના રોગથી પિડાઈ રહ્યા હતા. રૂબરૂ મળવાની ખુબ ઈચ્‍છા હતી પરંતુ પરમ કૃપાળુ પરમાત્‍માએ આ ઈચ્‍છાને અધુરી રાખી છે. તેમની સાથે પસાર કરેલો સમય ખરેખર જીવનનો એક લ્‍હાવો હતો.
આજે શ્રી યુસુફભાઈ શેખ હયાત નથી પરંતુ તેમણે પત્રકારત્‍વમાં બતાવેલી નિષ્‍ઠા અને બેદાગ રાખેલી પોતાની પ્રતિભાથી હંમેશા ચિરંજીવ રહેશે.

Related posts

કલેક્‍ટર ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક રાજેન્‍દ્ર પ્રસાદ મીનાની અધ્‍યક્ષતામાં  સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્‍દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા હેતુ યોજાયેલી બેઠક

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

જીએનએલયુ- સેલવાસ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ સેલવાસના પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment