Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

  • રજવાડાઓ દ્વારા પ્રજાની જીવન જરૂરિયાત સંતોષવા નિર્માણ પામેલ તળાવનું બ્‍યુટીફિકેશનના નામે થયું વેપારીકરણ

  • વિરોધ પક્ષે પણ હાજર રહી નાણાં મંત્રીનું સ્‍વાગત કરી વિકાસના કામોમાં સહમત હોવાની આપી ખાતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ઐતિહાસિક અને રજવાડા સમયનું 99 એકરના તળાવમાં આશરે 14 વર્ષ જેટલા લાંબા સમયથી બ્‍યુટીફિકેશનના નામે નિર્માણ થઈ રહેલ ઉદ્યાનનો તારીખ 16-10-2022 ના રોજ લોકાર્પણ કરાતા લોકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રીબીન કાપી આ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો.
પારડી નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ રાઠોડએ આ પ્રસંગે સ્‍વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા બાદ ચીફ ઓફિસર પ્રાચી દોષીએ આ ઉદ્યાનની રૂપરેખા આપતા જણાવ્‍યું હતું કે, આ ગાર્ડનમાંએન્‍ટ્રીગેટ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બોટિંગ, સિનિયર સિટીજનો માટે બેઠકની વ્‍યવસ્‍થા, ચિલ્‍ડ્રન પ્‍લે એરિયા, ફ્રુટકોટ પાર્કિંગ, વોકિંગ એરીયા, સાયકલ ટ્રેક અને ગાર્ડન વિગેરે સુવિધાઓ આવરી લેવામાં આવી છે. વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલે ભૂતપૂર્વ પ્રમૂખોને યાદ કરી તેઓ દ્વારા તળાવના કિનારે જેતે સમયે બિનઅધિકળત રીતે 350 જેટલા ઝુંપડા હટાવ્‍યાં જેને કારણે જ આ તળાવનું બુટીફિકેશનનું કાર્ય સફળ બન્‍યું હોવાનું જણાયું હતું.
કહેવાય છે કે, છપ્‍પનિયા દુકાળમાં તે સમયના રજવાડા પ્રજાની જીવન જરૂરિયાત સંતોષવા ખોદકામ કરી ગુજરાતનું બીજા નંબરનું કહેવાતું 99 એકરનું તળાવ નિર્માણ કરાવ્‍યું હતું પરંતુ અહીંના એક હથ્‍થુ શાસન ભોગવતા શાસકોએ બ્‍યુટીફિકેશનના નામે આ તળાવનું વેપારીકરણ કરી કમાવાનું સાધન બનાવી દીધું છે જેની અસર પારડી નગરમાં વસતા લોકો પર સીધે સીધી પડી છે. અગાઉ પાણીથી ભરેલા રહેતા તળાવને લીધે નગરના લોકોના બોર કદી સુકાતા ન હતા. પરંતુ તળાવનું પુરાણ કરી દેતા હાલમાં નગરના લોકોએ એક સાથે બે થી ત્રણ બોર ખોદાવ્‍યા બાદ માંડ માંડ પાણી નીકળે એવી હાલત થઈ ગઈ છે. આમ એક બાજુ નગરના લોકોને સુવિધા આપી બીજી બાજુ એટલે જ તકલીફો પણ ઉભી કરીછે.
આજના આ કાર્યક્રમમાં વિરોધ પક્ષે પણ હાજર નાણાંમંત્રી કનુભાઈનું સ્‍વાગત કરતા વિકાસના કામોમાં સાથે હોવાનું જણાવતા કનુભાઈએ પણ ખુશ થઈ આવું ફક્‍ત પારડીમાં જ થઈ શકે હોવાનું પોતાના વ્‍યક્‍તવ્‍ય દરમ્‍યાન જણાવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, શિલ્‍પેશ દેસાઈ, પારડી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, બાંધકામ અધ્‍યક્ષ નયનાબેન પટેલ, પારડી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્‍યો, સંગઠનના પદાધિકારી તથા કાર્યકરો, વીતેલા વરસોના પ્રમુખો અને મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો. અંતમાં આભારવિધિ પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે કરી હતી.

Related posts

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સલવાવ ખાતે યોજાયો

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

Leave a Comment