June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઘેજ ગામે કપિરાજ પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકાના ઘેજ ગામે ભરડા-નિશાળ ફળીયા વિસ્‍તારમાં છેલ્લા દોઢેક માસ પૂર્વે એક કપિરાજ આવી પહોંચ્‍યો હતો. શરૂઆતમાં ઝાડો પર અને ઘરની છત પર આંટા ફેરા કર્યા બાદ કપિરાજની મસ્‍તી વધતા તે લોકોના ઘરમાં પણ આવી જઈ મોબાઈલ ફોન, સૂકવવા નાંખેલ કપડાં વિગેરે પણ ઉપાડી વેરવિખેર કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત છત ઉપર કુંદકા મારતા છતના નળીયા, સિમેન્‍ટના પતરા વિગેરેને પણ નુકશાન થતા આ અંગેની જાણ સ્‍થાનિકો દ્વારા કરાતા વન વિભાગ દ્વારા ભરડા નિશાળ ફળીયામાં નિવૃત શિક્ષક ખાલપભાઈ ઝીણાભાઈના ઘર પાસે થોડા દિવસ પૂર્વે પાંજરૂ ગોઠવવામાં આવ્‍યું હતું અને પાંજરામાં કપિરાજ માટે ફળ મુકવામાં આવ્‍યા હતા. આ દરમ્‍યાન મંગળવારના રોજ વહેલી સવારે કપિરાજ પાંજરે પુરાતા ચીખલી વન વિભાગની રેંજ કચેરીના માર્ગદર્શન હેઠળ નવસારીની વાઈલ્‍ડ લાઈફ વેલ્‍ફેર ફાઉન્‍ડેશન નવસારીના હિમલ મહેતા સોલધરાના ધર્મેશભાઈ સહિતનાઓએ સલામત રીતે કપિરાજને રેસ્‍કયુ કરી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરીહતી.નિશાળ ફળીયામાં -ાથમિક શાળા પણ હોય બાળકોમાં ભય ફેલાયો હતો. કપિરાજ પાંજરે પુરાતા બાળકો સહિતના સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી હતી.

Related posts

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

વલસાડ ખડકી ભાગડાના ઈસમના બે ચેક બાઉન્‍સ થતા કોર્ટે રૂા.12.30 લાખ ભરી દેવા હૂકમ કર્યો

vartmanpravah

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

vartmanpravah

Leave a Comment