June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

વલસાડ જિલ્લાના છ તાલુકા મથકે સમાંતર કાર્યક્રમ યોજાયો : અત્‍યાર સુધીમાં 4.72 લાખ લાભાર્થીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા વાપી વી.આઈ.એ. હોલમાં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેંકડો લાભાર્થીઓએ લાભ લીધો હતો.
સમગ્ર રાજ્‍યમાં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કર્યું હતું. સમગ્ર રાજ્‍ય સાથે વલસાડ જિલ્લાના છ તાલુકા મથકોએ આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા. જેની વિગતો આપતા જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિષ પટેલએ જણાવ્‍યુંહતું કે, જિલ્લામાં અત્‍યાર સુધીમાં 4.72 લાખ કાર્ડ અપાઈ ચૂક્‍યા છે. આગામી સમયે તમામ કાર્ડને પી.વી.સી. કાર્ડમાં કન્‍વર્ટ કરાશે, તેનું વિતરણ હાથ ધરાશે. હાલમાં 84 હજાર જેટલા કાર્ડ બની ચૂક્‍યા છે. આયુષ્‍માન યોજનાનો લાભ તમામ લોકો લઈ શકે છે. જટીલ બિમારીઓ જેવી કે બાયપાસ સર્જરી, એન્‍જીયોગ્રાફી કે કેન્‍સર માટે કીમો સર્જરી વગેરે વાપી વી.આઈ.એ.માં યોજાયેલ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

ગાંધીનગર બે દિવસીય બે દિવસીય રાષ્‍ટ્રીય મેયર્સ કોન્‍ફરન્‍સમાં સેલવાસ, દમણ અને દીવ ન.પા.ના પ્રમુખો અને ઉપ પ્રમુખોએ લીધેલો ભાગ

vartmanpravah

લાયન્‍સ કલબ પારડી પર્લના સેવાકીય કાર્યમાં એક નવું છોગુ ઉમેરતા પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને તેમની ટીમ

vartmanpravah

Leave a Comment