Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડમાં પુસ્તક પરબનો ૧૮મો મણકો વરસાદી માહોલમાં સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર અને એસ.ટી. વર્કશોપની સામે ક્રોમાની બાજુમાં ફૂટપાથ પર પુસ્તક પરબ રવિવારે ૭:૩૦ થી ૯:૩૦ સમય દરમ્યાન યોજાઈ હતી.
આ કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ તથા ટીમ હાર્દિક પટેલ, હંસા પટેલ, જયંતીભાઈ મિસ્ત્રી, દેવરાજ કરદાની, જગદીશ આહીર દ્વારા આયોજિત થયો હતો. આ પરબમાં પ્રા.રાજશ્રી જોશી (સંખેડા કૉલેજ)ની મદદ મળી હતી. આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. આ રવિવારે ૧૦૮ પુસ્તકો વાચકો લઈ ગયા હતા. પુસ્તક પરબની મુલાકાત ૯૦થી વધુ લોકોએ લીધી હતી. વરસાદી માહોલમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોએ આ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. આ અભિયાનથી લોકો વાંચન તરફ વધુ ને વધુ ઢળી રહ્યા છે. વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે વરસાદી વાતાવરણમાં પુસ્તકો સમેટવામાં મદદ મળી રહી છે. દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાએ પુસ્તક પરબ યોજાશે. જેની વાચકોએ નોંધ લેવી.

Related posts

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: ઉભેલા ડમ્‍પર સાથે પીકઅપ અથડાતા એક મોત, બે ઘાયલ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

Leave a Comment