January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

વલસાડ જિલ્લાના છ તાલુકા મથકે સમાંતર કાર્યક્રમ યોજાયો : અત્‍યાર સુધીમાં 4.72 લાખ લાભાર્થીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા વાપી વી.આઈ.એ. હોલમાં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેંકડો લાભાર્થીઓએ લાભ લીધો હતો.
સમગ્ર રાજ્‍યમાં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કર્યું હતું. સમગ્ર રાજ્‍ય સાથે વલસાડ જિલ્લાના છ તાલુકા મથકોએ આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા. જેની વિગતો આપતા જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિષ પટેલએ જણાવ્‍યુંહતું કે, જિલ્લામાં અત્‍યાર સુધીમાં 4.72 લાખ કાર્ડ અપાઈ ચૂક્‍યા છે. આગામી સમયે તમામ કાર્ડને પી.વી.સી. કાર્ડમાં કન્‍વર્ટ કરાશે, તેનું વિતરણ હાથ ધરાશે. હાલમાં 84 હજાર જેટલા કાર્ડ બની ચૂક્‍યા છે. આયુષ્‍માન યોજનાનો લાભ તમામ લોકો લઈ શકે છે. જટીલ બિમારીઓ જેવી કે બાયપાસ સર્જરી, એન્‍જીયોગ્રાફી કે કેન્‍સર માટે કીમો સર્જરી વગેરે વાપી વી.આઈ.એ.માં યોજાયેલ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહનો પડઘો’ : રાનવેરીખુર્દમાંઆંગણવાડી અને શૌચાલય બનાવવા માટે તાત્‍કાલિક ટીડીઓ-ડીપીઈઓ દ્વારા સૂચનાઓ અપાઈ

vartmanpravah

Leave a Comment