વલસાડ જિલ્લાના છ તાલુકા મથકે સમાંતર કાર્યક્રમ યોજાયો : અત્યાર સુધીમાં 4.72 લાખ લાભાર્થીઓએ લાભ લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાપી વી.આઈ.એ. હોલમાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો લાભાર્થીઓએ લાભ લીધો હતો.
સમગ્ર રાજ્યમાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. સમગ્ર રાજ્ય સાથે વલસાડ જિલ્લાના છ તાલુકા મથકોએ આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા. જેની વિગતો આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિષ પટેલએ જણાવ્યુંહતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં 4.72 લાખ કાર્ડ અપાઈ ચૂક્યા છે. આગામી સમયે તમામ કાર્ડને પી.વી.સી. કાર્ડમાં કન્વર્ટ કરાશે, તેનું વિતરણ હાથ ધરાશે. હાલમાં 84 હજાર જેટલા કાર્ડ બની ચૂક્યા છે. આયુષ્માન યોજનાનો લાભ તમામ લોકો લઈ શકે છે. જટીલ બિમારીઓ જેવી કે બાયપાસ સર્જરી, એન્જીયોગ્રાફી કે કેન્સર માટે કીમો સર્જરી વગેરે વાપી વી.આઈ.એ.માં યોજાયેલ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.