September 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.20: વાંસદા તાલુકાને અડીને આવેલ ચીખલી તાલુકાના છેવાડાના માંડવખડક, સારવણી સહિતના ગામોમાં સવારે લોકો રૂટિન મુજબ કામોમાં વ્‍યસ્‍ત હતા. તે દરમ્‍યાન સવારના 10.26 કલાકે ધરતીકંપનો આંચકો આવતા ધરાધ્રુજી ઉઠવા સાથે ઘરમાં વાસણો પણ રણકી ઉઠ્‍યા હતા. અને ફરીવાર લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
નોંધનીય છે કે, વાંસદાનો કેલીયા ડેમ ચોમાસામાં પાણીથી છલોછલ થઈ ગયા બાદ કેલીયાડેમ નજીકના ગામોમાં છેલ્લા ઘણા વર્ષથી આ રીતે અવાર નવાર આંચકા આવતા રહે છે. જોકે તંત્ર દ્વારા અગાઉના વર્ષોમાં આ વિસ્‍તારમાં તીવ્રતા માપવા માટે સીસ્‍મોગ્રાફી યંત્ર મૂકાયું હતું. પરંતુ બાદમાં ઊંચકી લેવાયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે અવાર નવાર આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ ઉભો થાય એ સ્‍વાભાવિક છે. જોકે કોઈ નુકશાની ન થઈ હોવાનું જાણવા મળ્‍યું હતું.
સારવણીના અગ્રણી સુનિલભાઇના જણાવ્‍યાનુસાર દર વખતે કરતા આજના આંચકની તીવ્રતા વધુ હતી. અને 6 થી 7 સેકન્‍ડ જેટલો સમય ભૂકંપનો ચાલુ રહ્યો હતો. ખરેખર જવાબદાર અધિકારીઓ દ્વારા અસરગ્રસ્‍ત ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરવો જોઈએ પરંતુ કોઈઅધિકારી આવતા નથી.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે જાહેરમાં લોકોની વચ્‍ચે વિદ્યાર્થીઓ માટે ટી-શર્ટ પેઈન્‍ટિંગ સ્‍પર્ધાના નવતર કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

Leave a Comment