March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી સાગર ડોઈફોડે દત્તાત્રય અને દિલ્‍હીથી આઈ.પી.એસ. અધિકારી અનિલ કુમાર લાલનું સંઘપ્રદેશ પ્રશાસનમાં થનારૂં આગમન
સાગર ડોઈફોડે દત્તાત્રય આઈ.એ.એસ.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.08 : ભારત સરકારના ગૃહ મંત્રાલયે વિવિધ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના 32 આઈ.એ.એસ. અધિકારી અને 27 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે. જેમાંદાદરા નગર હવેલી અને દમણના 1 આઈ.એ.એસ. અને 1 આઈ.પી.એસ. અધિકારીનો પણ સમાવેશ થાય છે. બંને અધિકારીઓની બદલી જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં 2015 બેચના કાર્યરત આઈ.એ.એસ. અધિકારી દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી ડો. સાગર ડોઈફોડે દત્તાત્રયની સંઘપ્રદેશ પ્રશાસનમાં કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજ બજાવી રહેલા 2016 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી અનુજ કુમારની જમ્‍મુ અને કાશ્‍મીર અને એમના સ્‍થાને આઈ.પી.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર લાલની દિલ્‍હીથી બદલી કરાઈ છે.

Related posts

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

દીવ ખાતે સિંહના ટોળા દેખાતા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ડાંગરવાડી ખાતે ત્રણ પાંજરા મુકાયા

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજીની વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

vartmanpravah

Leave a Comment