જમ્મુ કાશ્મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી સાગર ડોઈફોડે દત્તાત્રય અને દિલ્હીથી આઈ.પી.એસ. અધિકારી અનિલ કુમાર લાલનું સંઘપ્રદેશ પ્રશાસનમાં થનારૂં આગમન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.08 : ભારત સરકારના ગૃહ મંત્રાલયે વિવિધ કેન્દ્ર શાસિત પ્રદેશોના 32 આઈ.એ.એસ. અધિકારી અને 27 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે. જેમાંદાદરા નગર હવેલી અને દમણના 1 આઈ.એ.એસ. અને 1 આઈ.પી.એસ. અધિકારીનો પણ સમાવેશ થાય છે. બંને અધિકારીઓની બદલી જમ્મુ અને કાશ્મીર ખાતે કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં 2015 બેચના કાર્યરત આઈ.એ.એસ. અધિકારી દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાની જમ્મુ અને કાશ્મીર બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્થાને જમ્મુ કાશ્મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી ડો. સાગર ડોઈફોડે દત્તાત્રયની સંઘપ્રદેશ પ્રશાસનમાં કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજ બજાવી રહેલા 2016 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી અનુજ કુમારની જમ્મુ અને કાશ્મીર અને એમના સ્થાને આઈ.પી.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર લાલની દિલ્હીથી બદલી કરાઈ છે.