Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી સાગર ડોઈફોડે દત્તાત્રય અને દિલ્‍હીથી આઈ.પી.એસ. અધિકારી અનિલ કુમાર લાલનું સંઘપ્રદેશ પ્રશાસનમાં થનારૂં આગમન
સાગર ડોઈફોડે દત્તાત્રય આઈ.એ.એસ.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.08 : ભારત સરકારના ગૃહ મંત્રાલયે વિવિધ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના 32 આઈ.એ.એસ. અધિકારી અને 27 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે. જેમાંદાદરા નગર હવેલી અને દમણના 1 આઈ.એ.એસ. અને 1 આઈ.પી.એસ. અધિકારીનો પણ સમાવેશ થાય છે. બંને અધિકારીઓની બદલી જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં 2015 બેચના કાર્યરત આઈ.એ.એસ. અધિકારી દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી ડો. સાગર ડોઈફોડે દત્તાત્રયની સંઘપ્રદેશ પ્રશાસનમાં કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજ બજાવી રહેલા 2016 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી અનુજ કુમારની જમ્‍મુ અને કાશ્‍મીર અને એમના સ્‍થાને આઈ.પી.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર લાલની દિલ્‍હીથી બદલી કરાઈ છે.

Related posts

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

Leave a Comment