Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી સાગર ડોઈફોડે દત્તાત્રય અને દિલ્‍હીથી આઈ.પી.એસ. અધિકારી અનિલ કુમાર લાલનું સંઘપ્રદેશ પ્રશાસનમાં થનારૂં આગમન
સાગર ડોઈફોડે દત્તાત્રય આઈ.એ.એસ.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.08 : ભારત સરકારના ગૃહ મંત્રાલયે વિવિધ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના 32 આઈ.એ.એસ. અધિકારી અને 27 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે. જેમાંદાદરા નગર હવેલી અને દમણના 1 આઈ.એ.એસ. અને 1 આઈ.પી.એસ. અધિકારીનો પણ સમાવેશ થાય છે. બંને અધિકારીઓની બદલી જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં 2015 બેચના કાર્યરત આઈ.એ.એસ. અધિકારી દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી ડો. સાગર ડોઈફોડે દત્તાત્રયની સંઘપ્રદેશ પ્રશાસનમાં કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજ બજાવી રહેલા 2016 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી અનુજ કુમારની જમ્‍મુ અને કાશ્‍મીર અને એમના સ્‍થાને આઈ.પી.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર લાલની દિલ્‍હીથી બદલી કરાઈ છે.

Related posts

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment