October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

ફાયર સેફટીના નિયમનું ઉલ્લંઘન કરી સોસાયટી વાસીઓના જીવ સામે ખતરો ઉભો કરનાર માણેક સોસાયટીના માલિકની કચેરીને મારેલા તાળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08 : ઉમરગામ પાલિકામાં ફરજ બજાવતા ફાયર સેફટી કર્મચારીએ રિજનલ અધિકારી શ્રી ગઢવીજીની સૂચનાના આધારે ઉમરગામ ગાંધીવાડી સ્‍થિત નિર્માણ થયેલી માણેક સોસાયટીમાં ફાયર સેફટીના નિયમના ઉલ્લંઘન બદલ કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા માણેક સોસાયટીના રહીશોએ ફાયર સેફટી સહિતના અનેક નિયમોના થઈ રહેલા ઉલ્લંઘનો સામે બળાપો ઠાલવી રહ્યા છે. બિલ્‍ડીંગના નિર્માણ કરતાં રાજેશભાઈ મિષાીએ ફલેટ ધારકોને ફલેટોના વેચાણ સમયે સગવડ અને સવલતપૂરી કરવાના આપેલા વચનો પણ પૂર્ણ કર્યા નહીં હોવાનું રહીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જેમા ફાયર સેફટીના સાધનોના અભાવના કારણે સોસાયટીના રહીશો અસુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ગતરોજ ઉમરગામ પાલિકાના કર્મચારીએ સોસાયટીના ગેટને તાળા લગાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ સોસાયટીના રહીશોએ વિનંતી કરતા પાલિકાના કર્મચારીએ સોસાયટીની કચેરીને તાળા લગાવી દસ દિવસની અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.
અત્રે નોંધનીય છે કે, સુરત અને અમદાવાદની આગ લાગવાની ગોઝારી ઘટના બાદ રાજ્‍ય સરકાર ફાયર સેફટીના નિયમના ઉલ્લંધન કરનારાઓ સામે કડક હાથે કામ લઈ રહી છે. ખાસ કરીને ટાવરોમાં રહેતા રહીશો તેમજ વધારે ભીડ એકત્રિત થતી હોય એવા શોપિંગ કે મોલ ધરાવતી બિલ્‍ડીંગો સામે આગની ઘટના સમયે વધુ જોખમ રહેતું હોવાથી ફાયર સેફટીની એનઓસી આપતું જવાબદારી વિભાગ ચુસ્‍તપણે નિયમનું પાલન કરાવતું હોય છે. ત્‍યારે ઉમરગામ ગાંધીવાડી વિસ્‍તારમાં નિર્માણ થયેલા ટાવરો સામે પગલા ભરવામાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે. આ બિલ્‍ડીંગોએ ફાયર સેફટી વિભાગનું એનઓસી ના મેળવ્‍યું હોય તો બિલ્‍ડીંગ યુઝ સર્ટિફિકેટ કેવી રીતે પાલિકા દ્વારા ઈશ્‍યૂ કરવામાં આવ્‍યું એ પણ એકતપાસનો વિષય છે. આ ઉપરાંત આ બિલ્‍ડિંગોએ સરકારના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરેલું હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્‍યારે સોસાયટીમાં રહેતા રહીશોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી પાલિકા તંત્ર બિલ્‍ડર સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ પાલિકા વાસીઓમાં જોવા મળી રહી છે.

Related posts

દમણમાં આયોજીત ગ્રિષ્‍મકાલીન(ઉનાળુ) રમત-ગમત પ્રશિક્ષણ શિબિરનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

Leave a Comment