Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

નિગમમા 105 ની બદલીઓ : 77 વિવિધ અધિકારીઓને ધન લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: એસટી નિગમમાં ત્રણ વર્ષથી વધુની સેવાઓ થઈ હોય તેવા અધિકારીઓની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને બઢતી પણ આપવામાં આવી છે જ્‍યારે કેટલાકની સ્‍વવિનંતીને માન આપી ઈચ્‍છિત જગ્‍યાએ મૂકવામાં આવ્‍યાછે. લગભગ 77 અધિકારીઓને નવા વર્ષમાં ધન લાભ કરવામાં આવ્‍યો છે અને 105 ડેપો મેનેજરની બદલી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ પંદર યાંત્રિક વિ. ઈજનેરોને અવ્‍વલ વિભાગીય યાંત્રિક ઈજનેર તરીકેની બઢતી આપવામાં આવી છે. બીટી પટેલને સુરતથી વલસાડ વિભાગમાં બદલી બઢતી અપાઈ છે. એસ. વી. ચૌહાણ સિનિયર ડીએમઈ તરીકે વલસાડ વિભાગમાં મુકાયા છે જેઓ હવે વિભાગીય નિયામકનો હવાલો પણ સંભાળશે જ્‍યારે વીએચ શર્માની બદલી અને બઢતી આપી ભરૂચ નિમણૂક થઈ છે. ભરૂચના ચંદ્રકાંત મહાજનને વડોદરા ખાતે અવલ પરિવહન અધિકારીની નિમણૂક અપાઈ છે જ્‍યાં સુરતના વિભાગીય નિયામક સંજય જોષીની વિ.નિ. તરીકે અને વલસાડના ગિરીશ પટેલની સિનિ. ડીએમઈ તરીકે બદલી કરવામાં આવી છે.
વલસાડ ડેપોના અવલ કેન્‍દ્ર વ્‍યવસ્‍થાપક જયદીપ જોશીની રાપર બદલી કરી છે તેમની જગ્‍યાએ એ. એ. અટારાની પાલનપુરથી બદલી થઈ છે. ધરમપુરના ડે.મે.જેસી માહ્‍લાને વાપી બદલી કરી વાપીના સુનિતા તબિયાડને બીલીમોરા ડેપો મેનેજર બનાવાયા છે. સ્‍નેહલ પટેલ ડીટીએસની નવસારી ડેપો મેનેજર તરીકે નિમણૂક થઈ છે. નવસારીના વી.પી રાવળને પાટણ નિમણૂક આપી છે. બીલીમોરાના ડેપો મેનેજર મુકેશ રાઠોડની ગઢડા બદલી થઈ છે.
ધરમપુર ખાતે શ્રીમતી બીજી પટેલની બોરસદ થીબદલી કરી ડેપો મેનેજરની જવાબદારી સોંપાય છે. કે. એસ. ગાંધી અમદાવાદના ડીટીઓને વલસાડ વિભાગીય કચેરીના ડીટીએસ શ્રીમતિ જેએન ગણાવાની ડેપો મેનેજર તરીકે બદલી થતાં અવ્‍વલ પરિવહન અધિકારી બનાવાયા છે. સુરતથી સુશ્રી એએમ ટંડેલને હિસાબી અધિકારી વલસાડ બનાવાયા છે.
વર્ગ એકના નવ અધિકારીની બદલી થઈ છે જેમાં અમદાવાદથી ભુજ ડેપો મેનેજર બનાવેલા આર. જે. નિર્મલ ને મધ્‍યસ્‍થ કચેરીમાં લાવી નિગમના સચિવ બનાવાયા છે જ્‍યારે એન.એસ. પટેલને હવે ઈડીપી મેનેજર મધ્‍યસ્‍થ કચેરી બનાવાયા છે. નિગમે 21 મી તારીખે વીસેક દફતરી હુકમો કરી બદલી બઢતીનો ગંજીપો ચીપિયો હતો. જેના મિશ્ર પ્રત્‍યાઘાતો પડ્‍યા છે બદલી બઢતી વાળા તમામને 27મી ઓક્‍ટોબરથી નવી જગા સંભાળવાનો આદેશ થયો છે.

Related posts

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

ઈ.સ. 1772માં જાનોજી ધુળપના મરાઠી નૌકા કાફલાએ પોર્ટુગીઝોનું 40 તોપો અને 120 ખલાસી સૈનિકો સાથેનું સંતાના જહાજ જપ્ત કરી લીધું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રેરણા અંતર્ગત દમણ શિક્ષણ વિભાગ દ્વારા સરસ્‍વતી વિદ્યા યોજના અંતર્ગત ધો.8ની વિદ્યાર્થીનીઓને કરાયેલું સાયકલનું વિતરણ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

Leave a Comment