Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી દત્ત મંદિર ખાતે અવધૂત પરિવાર દ્વારા પૂ. શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજશ્રીની 125મી જન્‍મ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સવારે શ્રી રંગ અવધૂત મહારાજશ્રીને દત્તનામ સંકીર્તન સાથે અભયગ સ્‍નાન બાદ બપોરે શ્રી રંગ જયંતિ પાદુકાનું પૂજન, વલસાડ નિવાસી શ્રી રાકેશભાઈ જોષીના આચાર્યપદે આયોજન કરવામાં આવ્‍યું હતું.પાદુકા પૂજન બાદ પૂ.બાપજીના જન્‍મોત્‍સવમાં પારણુ ઝુલાવવામાં આવ્‍યું હતું. સાંજે શ્રી રંગ જન્‍મોત્‍સવ બાદ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં રંગ અવધૂત પરિવારના સદસ્‍યો જોડાયા હતા. આ દરમિયાન મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાવન અવસરે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

Leave a Comment