October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી દત્ત મંદિર ખાતે અવધૂત પરિવાર દ્વારા પૂ. શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજશ્રીની 125મી જન્‍મ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સવારે શ્રી રંગ અવધૂત મહારાજશ્રીને દત્તનામ સંકીર્તન સાથે અભયગ સ્‍નાન બાદ બપોરે શ્રી રંગ જયંતિ પાદુકાનું પૂજન, વલસાડ નિવાસી શ્રી રાકેશભાઈ જોષીના આચાર્યપદે આયોજન કરવામાં આવ્‍યું હતું.પાદુકા પૂજન બાદ પૂ.બાપજીના જન્‍મોત્‍સવમાં પારણુ ઝુલાવવામાં આવ્‍યું હતું. સાંજે શ્રી રંગ જન્‍મોત્‍સવ બાદ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં રંગ અવધૂત પરિવારના સદસ્‍યો જોડાયા હતા. આ દરમિયાન મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાવન અવસરે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

પ્રમુખ દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભવ્‍ય મશાલ રેલી યોજાઈ

vartmanpravah

કપરાડાના અંભેટી ત્રણ રસ્‍તા પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત : તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા

vartmanpravah

Leave a Comment