(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ શ્રી દત્ત મંદિર ખાતે અવધૂત પરિવાર દ્વારા પૂ. શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજશ્રીની 125મી જન્મ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે શ્રી રંગ અવધૂત મહારાજશ્રીને દત્તનામ સંકીર્તન સાથે અભયગ સ્નાન બાદ બપોરે શ્રી રંગ જયંતિ પાદુકાનું પૂજન, વલસાડ નિવાસી શ્રી રાકેશભાઈ જોષીના આચાર્યપદે આયોજન કરવામાં આવ્યું હતું.પાદુકા પૂજન બાદ પૂ.બાપજીના જન્મોત્સવમાં પારણુ ઝુલાવવામાં આવ્યું હતું. સાંજે શ્રી રંગ જન્મોત્સવ બાદ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત પરિવારના સદસ્યો જોડાયા હતા. આ દરમિયાન મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ લાભ લીધો હતો.
Previous post