Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

પારડી માટે કેતન પટેલ, ધરમપુરમાં કમલેશ પટેલ, કપરાડા જયેન્‍દ્ર ગાંવિતની પસંદગી, વલસાડ બેઠક માટે અગાઉ રાજુ મરચાને ટિકિટ અપાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત વિધાનસભાની ગમે તે ઘડીએ ચૂંટણી તારીખ જાહેર થઈ શકે છે. એ પહેલા વલસાડ જિલ્લાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો માટે આપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. ઉમેદવારો નક્કી કરવાની હોડમાં આપ આગળ રહેલ છેજ્‍યારે કોંગ્રેસ ભાજપ દ્વારા હજુ સુધી કોઈ અણસાર અપાયો નથી. આપ દ્વારા વલસાડ, પારડી, કપરાડા, ધરમપુર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. એકમાત્ર ઉમરગામની બેઠક માટે હજુ સુધી જાહેરાત કરાઈ નથી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ યોજેલ પત્રકાર પરિષદમાં ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી હતી. જેમાં 22 ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવાર પારડી, કપરાડા અને ધરમપુર બેઠકો માટે ડીક્‍લેર કર્યા હતા. ગઈકાલે કરેલ પાર્ટીની જાહેરાત મુજબ પારડીની બેઠક ઉપર વાપી તા.પં.ના પૂર્વ પ્રમુખ અને ભાજપમાંથી આપમાં કુદકો મારનાર કેતન પટેલને ટિકિટ અપાઈ છે. સંભવત તેઓ ભાજપના ઉમેદવાર કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સામે ચૂંટણી લડશે. એ પ્રમાણે કપરાડાની બેઠક ઉપર આદિવાસી નેતા જયેન્‍દ્ર ગાંવિતને ટિકિટ અપાઈ છે. તેઓ સંભવત પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સામે ચૂંટણી લડશે જ્‍યારે ધરમપુરની બેઠક ઉપર આદિવાસી એકતા સમિતિ પ્રમુખ કમલેશ પટેલને ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ બેઠક માટે અગાઉ રાજુ મરચાને ટિકિટ અપાઈ ચૂકી છે એટલે કે વિધાનસભાની જિલ્લાની પાંચ બેઠકો પૈકી ઉમરગામ સિવાય ચાર બેઠકો અનુક્રમે વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડા માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

Related posts

પારડીથી ગાંજાના જથ્‍થા સાથે એક ઈસમની ધરપકડ કરતી એસ.ઓ.જી

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપો સામે ગેરકાયદે આડેધડ રીક્ષા પાર્કિંગના કારણે સર્જાતો ટ્રાફિકજામ

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રાબેન પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment