Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08: આજરોજ એરપોર્ટ વિભાગ તરફથી તકેદારી જાગૃતિ અભિયાનના ભાગરૂપે નાગવા સરકારી અપર પ્રાયમરી/ માધ્‍યમિક શાળામાં સ્‍લોગન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો.8 થી 10 ના 32 બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવ એરપોર્ટ વિભાગ તરફથી તમામ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા અને દરેક સ્‍પર્ધામાં 1 થી 5 નંબર મેળવનાર બાળકોને ઈનામો આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલ દીવ શિક્ષણાધિકારી શ્રી આર.કે. સિંઘ, દીવ એરપોર્ટ ડાયરેક્‍ટર નરેશ કુમારજી, પ્રભારી (સિવીલ) દિનેશકુમારજી, સમગ્ર શિક્ષામાંથી પધારેલ પેડાગોજી, શ્રી માનસિંગ તેમજ એરપોર્ટ વિભાગના અધિકારી તેમજ સ્‍ટાફનું સ્‍વાગત શાળાના પ્રભારી આચાર્ય જયંતીલાલ પટેલે કર્યુ હતું અને આ કાર્યક્રમને સફળબનાવવા શાળાના શિક્ષક વાજીદ, દિપેન, રમેશ, હરેશ, જ્‍યોતિ, વિજયા, મીતા, મારૂતિ, દિપીકા, રશ્‍મિ, હંસાબેન, વનિતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્‍યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે

vartmanpravah

Leave a Comment