July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08: આજરોજ એરપોર્ટ વિભાગ તરફથી તકેદારી જાગૃતિ અભિયાનના ભાગરૂપે નાગવા સરકારી અપર પ્રાયમરી/ માધ્‍યમિક શાળામાં સ્‍લોગન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો.8 થી 10 ના 32 બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવ એરપોર્ટ વિભાગ તરફથી તમામ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા અને દરેક સ્‍પર્ધામાં 1 થી 5 નંબર મેળવનાર બાળકોને ઈનામો આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલ દીવ શિક્ષણાધિકારી શ્રી આર.કે. સિંઘ, દીવ એરપોર્ટ ડાયરેક્‍ટર નરેશ કુમારજી, પ્રભારી (સિવીલ) દિનેશકુમારજી, સમગ્ર શિક્ષામાંથી પધારેલ પેડાગોજી, શ્રી માનસિંગ તેમજ એરપોર્ટ વિભાગના અધિકારી તેમજ સ્‍ટાફનું સ્‍વાગત શાળાના પ્રભારી આચાર્ય જયંતીલાલ પટેલે કર્યુ હતું અને આ કાર્યક્રમને સફળબનાવવા શાળાના શિક્ષક વાજીદ, દિપેન, રમેશ, હરેશ, જ્‍યોતિ, વિજયા, મીતા, મારૂતિ, દિપીકા, રશ્‍મિ, હંસાબેન, વનિતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related posts

ધરમપુરના વિલ્‍સન હિલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં 70 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

Leave a Comment