February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08: આજરોજ એરપોર્ટ વિભાગ તરફથી તકેદારી જાગૃતિ અભિયાનના ભાગરૂપે નાગવા સરકારી અપર પ્રાયમરી/ માધ્‍યમિક શાળામાં સ્‍લોગન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો.8 થી 10 ના 32 બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવ એરપોર્ટ વિભાગ તરફથી તમામ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા અને દરેક સ્‍પર્ધામાં 1 થી 5 નંબર મેળવનાર બાળકોને ઈનામો આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલ દીવ શિક્ષણાધિકારી શ્રી આર.કે. સિંઘ, દીવ એરપોર્ટ ડાયરેક્‍ટર નરેશ કુમારજી, પ્રભારી (સિવીલ) દિનેશકુમારજી, સમગ્ર શિક્ષામાંથી પધારેલ પેડાગોજી, શ્રી માનસિંગ તેમજ એરપોર્ટ વિભાગના અધિકારી તેમજ સ્‍ટાફનું સ્‍વાગત શાળાના પ્રભારી આચાર્ય જયંતીલાલ પટેલે કર્યુ હતું અને આ કાર્યક્રમને સફળબનાવવા શાળાના શિક્ષક વાજીદ, દિપેન, રમેશ, હરેશ, જ્‍યોતિ, વિજયા, મીતા, મારૂતિ, દિપીકા, રશ્‍મિ, હંસાબેન, વનિતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related posts

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment