(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.25: ઉમરસાડી માછીવાડ ખાતે દિલિપભાઈ ટંડેલના મરઘાં ફાર્મમાં મરઘાંનો શિકાર કરવા આવેલ અજગર ફાર્મ પાસે લગાવેલ માછલીની પોતે જ શિકાર કરવા પહેલા ફસાઈ ગયો હતો. જાળમાં ફસાયેલા અજગરને જોઈ દિલિપભાઈએ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની અને રાજ પટેલ ઘટના સ્થળે દોડી જઈ ભારે જહેમતે સાવચેતી પૂર્વક સાડા પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરી જાળમાંથી બહાર કાઢિ આ અજગરને સુરક્ષિત રીતે ફોરેસ્ટ ઍરિયામાં મુક્ત કરવામાં આવશેનું જણાવ્યું હતું.