April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ઉમરકૂઇ ગામના એક ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીની જૂની/પુરાણી પ્રણાલી છોડી આધુનિક ઢબથી ખેતી તરફ વળ્‍યા છ. શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીમાં સિંચાઈ માટે ટપકપદ્ધતિ તથા મલ્‍ચિંગ અને હાઈબ્રીડ બિયારણ વાપરી તરબૂચનો મબલક પાક ઉતારી બહોળી આવક રળી છે. શ્રી ગણેશભાઈએ હેક્‍ટર દીઠ 60 ટન જેટલું તરબૂચનું ઉત્‍પાદન મેળવી રૂા.છલાખનો નફો મેળવ્‍યો છે. ઉનાળાની સીઝનમાં તરબૂચની માંગ વધતા બજારભાવ પણ સારા હોવાથી ખેડૂતો તડબૂચની ખેતી તરફ વળ્‍યા છે.
ઉમરકૂઇ ગામના યુવાન પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાએ પી.ટી.સી. અને બી.એ. સુધીનો અભ્‍યાસ કર્યો છે. તેમણે ત્રણ એકરમાં તરબૂચની ખેતી કરી પોતાની આર્થિક આવક બમણી કરી છે. પ્રદેશના બેરોજગાર યુવાનોને અપીલ કરતા જણાવ્‍યુ કે તરબૂચની ખેતી વડે સારો નફો મેળવી શકાય છે. પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરીયાઅ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અભિયાનમાં ભાગીદાર બનવા અનુરોધ પણ કર્યો છે. અગાઉના સમયમાં એમની ખેતી આકાશી વરસાદ આધારિત હતી ચોમાસામા ડાંગર સિવાય કોઈ ખેતી થતી ન હતી હવે ટપકસિંચાઈ પદ્ધતિ અપનાવતા હોવાથી વર્ષમાં બે વખત પાક લઈ શકે છે.

Related posts

મુંબઈથી પેસેન્‍જરો સાથે દારૂ લઈ જતી લક્‍ઝરી બસ બગવાડા હાઈવે પર ઝડપાઈ

vartmanpravah

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

Leave a Comment