October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવ ખાતે મંગળવારે ચંદ્રગ્રહણ અંગે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી ભાઈ-બહેનોને રસપ્રદ માહિતી આપી તેનુ વૈજ્ઞાનિક અને ધાર્મિક તથા ખગોળીય મહત્‍વ સમજાવ્‍યું હતું.
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના વિદ્યાર્થીઓ ખગોળીય ઘટના ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ અંગે સાચી અને સચોટ માહિતી મેળવે તે માટે આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન શિક્ષકો ચૈતાલીબેન પટેલ તથા પ્રિયંકાબેન પરમાર દ્વારા દ્રશ્‍ય અને શ્રાવ્‍ય માધ્‍યમ વડે ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના અંગે ગ્રહણના દિવસે જ રસપ્રદ માહિતી આપી હતી. સાથે જ આ ખગોળીય ઘટના અંગે વૈજ્ઞાનિક કારણો ખુબજ સરળ ભાષામાં સમજાવ્‍યા હતા. ગ્રહણ પાછળ ધાર્મિક માન્‍યતાઓને પણ વિજ્ઞાન સાથે સાંકળી અને વિવિધ તારણો તથા સંશોધનોના ઉદાહરણ ટાંકીને અનુમોદન આપી ગ્રહણ સમયે લેવાની કાળજી બાબતે પણ વિસ્‍તૃત સમજ આપી હતી.
વિદ્યાર્થીઓદ્વારા પૂછાયેલા પ્રશ્નોના યોગ્‍ય અને સંતોષકારક ઉત્તરો આપ્‍યા હતા. એજ રીતે ખંડગ્રાસ, ખગ્રાસ અને કંકણાકળતિ સૂર્યગ્રહણની દ્રશ્‍ય અને શ્રાવ્‍ય માધ્‍યમ દ્વારા સમજૂતી આપી હતી. ગ્રહણની ઘટનામાં ચંદ્ર અને પૃથ્‍વીના પડછાયા સાથે અવકાશમાં બનતી બે ખગોળીય ઘટનાની ધોરણ 6 થી 8 ના 190 વિદ્યાર્થીઓને કમ્‍પ્‍યૂટર દ્વારા 3ડી એનિમેશનવાળા વિડીઓ બતાવી સમજાવવામાં આવતા વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા.

Related posts

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી બાલચોંડીમાં કાર્યકર સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment