March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

  • સંઘપ્રદેશના પ્રશાસકપ્રફુલભાઈ પટેલે ઝંડી બતાવીને દોડનું કરાવેલું પ્રસ્‍થાન

  • સપ્તાહ સુધી ચાલેલી દોડમાં 15165 સહભાગીઓએ લીધેલો ભાગઃ કુલ 560 કિલોમીટરની લગાવેલી દોડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણો દેશ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. આ કડીમાં ભારત સરકાર દ્વારા અખિલ ભારતીય સ્‍તરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્‍મ જયંતિના અવસરે ‘રાષ્‍ટ્રીય એકતા દિવસ’ના પર્વને ઉજવવા માટે એક સપ્તાહ સુધી ચાલેલા અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ‘‘રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં આજે સવારે 7 વાગ્‍યે મોટી દમણ લાઈટ હાઉસ પાસે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિના અવસરે રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં ‘‘રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે દોડમાં સહભાગી બનેલાઓને રાષ્‍ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવી હતી. ત્‍યારબાદ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ઝંડી બતાવીને ‘‘રન ફોર યુનિટી”ની દોડને રવાના કરી હતી. જેમાં લગભગ 2800 જેટલા લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અનેલોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્‍વપ્ન રાષ્‍ટ્રીય એકતા અને અખંડતાના નારાને બુલંદ કર્યો હતો. આ 3 કિલોમીટરની દોડ મોટી દમણ લાઈટ હાઉસથી જમ્‍પોર બીચ પાસે અને ફરી લાઈટ હાઉસ સુધી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ અને આમજનતાએ ભારે ઉત્‍સાહ ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં તમામ જિલ્લામાં ઓછામાં ઓછી 100 દોડ આયોજીત કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો. આ કડીમાં દમણ જિલ્લામાં 25 ઓક્‍ટોબરથી 30 ઓક્‍ટોબર સુધી ‘‘રન ફોર યુનિટી”ની 231મી દોડ યોજાઈ હતી. જેમાં આશરે 15165 સહભાગીઓએ ભાગ લઈને કુલ 560 કિલોમીટરની દોડ લગાવી હતી. રાષ્‍ટ્રીય એકતા દિવસ ઉજવવાનો મુખ્‍ય ઉદ્દેશ નાગરિકોની વચ્‍ચે રાષ્‍ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે જાગરૂકતા લાવવા અને શક્‍તિ પ્રદાન કરવાનો છે તથા વિવિધતામાં એકતાના સંદેશને બુલંદ કરવાનો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક દિવાળી રજા દરમિયાન પ્રદેશ બહાર રહેતા દમણમાં જુગાર, મટકા, ઓઈલ-કેમિકલ ચોરી તથા અનીતિધામના અડ્ડાઓ ઠેર ઠેર ખુલી ગયા હોવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

vartmanpravah

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

Leave a Comment