September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણીની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી રહી છે. આ માપણીની શરૂઆત દમણના પરિયારી ગામથી કરવામાં આવશે. જે અંતર્ગત આવતી કાલ તા.9 નવેમ્‍બર, 2022ના બુધવારે પરિયારી સ્‍થિત કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભામાં ફરીથી જમીન માપણી સાથે સંબંધિત જાણકારી આપવામાં આવશે. જેમાં ફરીથી માપણીની કાર્યવાહી સિમિત સમયમાં પૂર્ણ કરી શકાય.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લામાં પોર્ટુગીઝ શાસન બાદ પહેલી વખત જમીનની માપણી વર્ષ 1970-1972માં થઈ હતી જે જૂની પધ્‍ધતિઓથી કરવામાં આવી હતી. એની કડીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનથી ભારત સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન મુજબ ડિજિટલ ઈન્‍ડિયા જમીન રેકોર્ડ અદ્યતનીકરણ ક્રાર્યક્રમ મુજબ થનારી આ જમીન માપણી આધુનિક ટેક્‍નીક અને સાધનોના ઉપયોગથી કરવામાં આવશે.
અત્રેઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, પ્રદેશની જનતાને તમામ સુવિધાઓ આધુનિક ટેક્‍નીકલ માધ્‍યમોના ઉપયોગથી ઉપલબ્‍ધ કરાવી શકાય. હાલમાં જ દમણના મામલતદાર કાર્યાલયની પ્રમાણપત્રો અને અન્‍ય દસ્‍તાવેજી સુવિધાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે. ત્‍યારબાદ જમીન માપણી પણ નવી રીતે કરીને જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવશે.

Related posts

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે સંપન્નઃ સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે 100 ટકા હાજરી નોંધાઈ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

Leave a Comment