Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણીની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી રહી છે. આ માપણીની શરૂઆત દમણના પરિયારી ગામથી કરવામાં આવશે. જે અંતર્ગત આવતી કાલ તા.9 નવેમ્‍બર, 2022ના બુધવારે પરિયારી સ્‍થિત કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભામાં ફરીથી જમીન માપણી સાથે સંબંધિત જાણકારી આપવામાં આવશે. જેમાં ફરીથી માપણીની કાર્યવાહી સિમિત સમયમાં પૂર્ણ કરી શકાય.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લામાં પોર્ટુગીઝ શાસન બાદ પહેલી વખત જમીનની માપણી વર્ષ 1970-1972માં થઈ હતી જે જૂની પધ્‍ધતિઓથી કરવામાં આવી હતી. એની કડીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનથી ભારત સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન મુજબ ડિજિટલ ઈન્‍ડિયા જમીન રેકોર્ડ અદ્યતનીકરણ ક્રાર્યક્રમ મુજબ થનારી આ જમીન માપણી આધુનિક ટેક્‍નીક અને સાધનોના ઉપયોગથી કરવામાં આવશે.
અત્રેઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, પ્રદેશની જનતાને તમામ સુવિધાઓ આધુનિક ટેક્‍નીકલ માધ્‍યમોના ઉપયોગથી ઉપલબ્‍ધ કરાવી શકાય. હાલમાં જ દમણના મામલતદાર કાર્યાલયની પ્રમાણપત્રો અને અન્‍ય દસ્‍તાવેજી સુવિધાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે. ત્‍યારબાદ જમીન માપણી પણ નવી રીતે કરીને જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

દમણમાં મહિલા આત્‍મનિર્ભર અભિયાન હેઠળ પલીત, દમણવાડા અને ઝરીના સ્‍વસહાય જૂથની બહેનોને પાપડ સીલિંગ મશીન અપાયું

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment