October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્‍યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રિ કોર્ટ સંચાલિત રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્‍યની હાઈકોર્ટ સંચાલિત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્‍તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા સ્‍તરે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટનાં આદેશથી રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સમયાંતરે લોકોને ઝડપી ન્‍યાય અપાવવા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્‍યાય આપવા પ્રયાસ થાય છે.
વલસાડ જિલ્લામાં આગામી તા.12/11/20રર નાં રોજ ચેરમેનશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્‍સીપાલ એન્‍ડ ડિસ્‍ટ્રીકટ જજ શ્રી પ્રકાશકુમાર એ. પટેલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા અદાલત તેમજ તમામ તાલુકા અદાલતોમાં નેશનલલોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક અદાલતમાં લગ્ન વિષયક તકરારનાં કેસો, કૌટુંબિક તકરારના કેસો, ભરણપોષણનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસ, મજૂર કાયદાને લગતા કેસ, ગ્રાહક સુરક્ષાને લગતાં કેસો, દિવાની દાવા જેમાં ભાડા, બેન્‍ક અને વિજળી બીલ તેમજ બેન્‍કો અને ફાયનાન્‍સ કંપનીઓનાં પ્રિલીટીગેશન કેસો તથા ટ્રાફિક ચલણનાં વસુલાતનાં કેસો વિગેરેના સમાધાન લાયક કેસ લેવામાં આવશે એવું વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવશ્રી એસ.એચ. બામરોટીયાએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

આજે છેવાડેના સામાન્‍ય લોકોનો સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્‍યે વધેલો ભરોસો

vartmanpravah

Leave a Comment