Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્‍યાં સવારે 11 વાગ્‍યાથી સુધારાઓ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લામાં આગામી તા.17-11-24 રવિવાર, તા.23-11-24 શનિવાર અને તા.24-11-24 રવિવારના રોજ સવારે 11-00 વાગ્‍યાથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. મતદારોએ યાદીમાં સુધારાઓ કરાવવા માટે પોતે જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્‍યાં જવું. તેમજ તા.01-01-2025 ના રોજ જેમના 18 વર્ષ પૂરા થતા હોય તેમણે પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્‍ય દાખલ કરાવવું.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ નંબર – 6 – ફક્‍ત પહેલીવાર નામ ઉમેરવા માટે, ફોર્મ નંબર – 7 – નામ કમી કરાવવા માટે, ફોર્મ નંબર – 8 – મતદાર યાદીમાં મતદારનું નામ / અટક / પિતા / પતિ / ઉંમર / સરનામું / ફોટો વગેરેમાં કોઈ ભૂલ હોય તો તેમાં સુધારો કરાવવા માટે તેમજ ગુમ થયેલા કે સુધારા કરેલા નવા મતદાર કાર્ડ માટે, એક વિધાનસભામાંથી અન્‍ય વિધાનસભા અથવા એક શહેર / જિલ્લામાંથી અન્‍ય શહેર / જિલ્લામાં અથવા બીજા રાજ્‍યથી ગુજરાત રાજ્‍યમાં મતદારનું નામ ઉમેરવા માટે અને ફોર્મ નંબર 6-બી – મતદાર યાદીમાં પોતાનો આધાર નંબર દાખલ કરાવવા માટે છે.

Related posts

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

દાનહ બહુજન સમાજ પાર્ટીના લોકસભા ચૂંટણી-2024ના ઉમેદવાર સંદીપ બોરસા તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

Leave a Comment