Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

કુલ રૂા. 41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના પી.એમ.મિત્ર ટેક્‍સટાઇલ પાર્ક સાઈટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે તા.22/02/2024 ના રોજ સાંજે 4-00 કલાકે વિકસીત ભારતના સ્‍વપ્‍ન અને અમૃતકાળના સંકલ્‍પને સાર્થ કરતાં કુલ રૂ.41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્‍દ્રીય ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, રાજયના આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોર, ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્‍યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્‍થિત રહેશે.

Related posts

નવસારી કમલમ ખાતે ભાજપની સંયુક્‍ત કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈથી જીતાડવા હાકલ કરાઈ

vartmanpravah

જી.ઍમ.ઇ.આર.ઍસ. મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

બામણવેલથી પસાર થતી કેનાલના વર્ષો જૂના પુલ ઉપર સેફટી ગ્રીલના અભાવે મોટી દુર્ઘટનાની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

Leave a Comment