October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

  • દાનહમાં ગેસનું કનેક્‍શન નહીં ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં સામેલ કરવા શરૂ થયેલી કાર્યવાહી

  • સંઘપ્રદેશના ફૂડ અને સિવિલ સપ્‍લાય વિભાગના સચિવ એસ. અસકર અલીની અધ્‍યક્ષતામાં દાનહના 40 વ્‍યાજબી ભાવની દુકાનોના માલિક-સંચાલકો જોડે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ફૂડ અને સિવિલ સપ્‍લાય વિભાગના સચિવ શ્રી એસ.અસકર અલીની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલીના સરકારી વ્‍યાજબી ભાવની (કંટ્રોલ) દુકાનોના માલિક-સંચાલકો જોડે દમણગંગા સરકિટ હાઉસ, સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં દાનહની 40 કંટ્રોલના માલિક-સંચાલકો હાજર રહ્યા હતા.
બેઠકમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા તેમને ફાળવવામાં આવેલ અનાજનો માસિક ક્‍વોટો છેલ્લા 6 મહિનાથી ઉપાડી નહીં રહ્યા હોવાથી વધેલું અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાને પરત આપવામાં આવી રહ્યું હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. જે બાબતે ફૂડ અને સિવિલ સપ્‍લાય વિભાગના સચિવ શ્રી એસ. અસકરે લાભાર્થીઓને દર મહિને અનાજનો ક્‍વોટો ઉપાડવા માટે પ્રેરિત કરવા ભાર આપ્‍યો હતો અને લાભાર્થી દ્વારા વ્‍યક્‍તિગત રીતે અનાજ નહીં ઉપાડવા માટેનું કારણ લેખિતમાં પૂછવા તે મુજબનીકાર્યવાહી કરવા પણ તેમણે નિર્દેશ આપ્‍યો હતો.
દાદરા નગર હવેલી ખાતે એલ.પી.જી. કનેક્‍શન નહીં ધરાવતા લાભાર્થીઓની ઓળખ કરવા અને તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કનેક્‍શન આપવા માટે પ્રસ્‍તાવ રજૂ કરવા ખાદ્ય અને સિવિલ સપ્‍લાય વિભાગ તેમજ સરકારી વ્‍યાજબી ભાવની દુકાનોના માલિક-સંચાલકોને સચિવશ્રીએ નિર્દેશ આપ્‍યો હતો.

Related posts

રાષ્‍ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ દમણ-દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલની કરાયેલી પસંદગી

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

vartmanpravah

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment