October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

વારંવાર સર્જાતા ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી લાંબી લાઈનોમાં ફસાતા દર્દીઓઃ તમામ અવર-જવર કરતા વાહનચાલકોને પડતી ભારે તકલીફો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના સેલવાસ-ખાનવેલ મુખ્‍ય માર્ગના નવીનિકરણનું કામ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યું છે જે સાવ ગોકળગાયની જેમ ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે. ગોકળગાયની જેમ ધીમી ગતિએ ચાલતા રસ્‍તાના નિર્માણકાર્યને કારણે બંને તરફના વાહનોનીઅવર-જવર એક જ સાઈડ પર થઈ રહી છે તેથી અહીં વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા સર્જાઈ રહી છે. વારંવાર સર્જાતા ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. જેમાં ખાનવેલથી વધુ સારવાર માટે 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે દર્દીઓને સેલવાસ ખાતે લાવવામાં ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. ખાનવેલથી સેલવાસ પહોંચતા એક કલાક જેટલો સમય વહી જતો હોય છે જેમાં દર્દીઓને ભારે હેરાન થવું પડે છે.
જાહેર જનતાના હિતમાં તંત્ર અને રોડ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા આ રસ્‍તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં એવી માંગ લોકોમાં ઉઠી રહી છે.

Related posts

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દમણમાં ટોપર બનેલ કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડના પરિવારની અસ્‍પી દમણિયાની ટીમે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

Leave a Comment