June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ડાંગ જિલ્લાના શિવરીમાળ ખાતે રામ જન્મભૂમિ અયોધ્યાના ગાદીપતિ મહંત કમલનયન 1008, તથા સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામી તેમજ અન્ય સંતો ની મિશ્રામાં વૈદહી આશ્રમ ખાતે યશોદા દીદી ના યજમાન પણે આયોજિત ધર્મ સંમેલનમાં 300 જેટલા પરિવારો સનાતન ધર્મ વૈદિક મંત્રોચ્ચાર સાથે જોડાયા હતા.


ગુજરાત રાજ્યના વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગમાં શિવરી માળ ખાતે વૈદહી આશ્રમ સાધ્વી યશોદા દીદી ચલાવી રહ્યા છે. આશ્રમમાં ગરીબ દીકરીઓ શિક્ષણ સાથે વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે. યશોદા દીદી દ્વારા તેમના વૈદહી આશ્રમ ખાતે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ( યુએસએ) ના સંહયોગથી ધર્મ સંમેલનનું 17 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રામ જન્મભૂમિ અયોધ્યા ગાદીપતિ મહંત 1008 કમલ નયનજી તથા સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજી તેમજ અન્ય વિવિધ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહી ધર્મ સભા સંબોધી હતી અને આપણી પ્રાચીન કાલથી ચાલી આવતી સનાતન હિન્દુ સંસ્કૃતિ અંગે રસપ્રદ માહિતીઓ આપી હતી સાથે પૂજા પણ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 300 જેટલા હિન્દુ પરિવારો સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયા હતા. ઉપસ્થિત મહંત તથા સંતોએ સનાતન ધર્મમાં જોડાનાર સર્વેને આશીર્વાદ આપ્યા હતા સાધ્વી યશોદા દીદી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આશ્રમશાળાની દીકરીઓ દ્વારા સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર સાથેની પ્રાર્થનાઓ સાંભળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. ધર્મ સંમેલનમા મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ ઉપસ્થિત સર્વે લાભ લીધો હતો.

Related posts

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment