Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: 176-ગણદેવી અનુસૂચિત જનજાતિની બેઠક ઉપર ભાજપમાંથી વર્તમાન કેબિનેટ મંત્રી નરેશભાઈ એમ. પટેલ કોંગ્રેસમાંથી બીલીમોરા અશોકભાઈ કરાટે ઉમેદવારી નોંધાવ્‍યા બાદ આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દેગામના પંકજભાઈ લલ્લુભાઈ પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. આ પૂર્વે પંકજભાઈ પટેલતેમના ટેકેદારો સમર્થકો સાથે રેલી આકારે તાલુકા સેવા સદનમાં પહોંચ્‍યા હતા.
176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અને આપ મળી ત્રણ જેટલા જ ઉમેદવારી પત્રકો ભરાયા છે. હાલે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા જિલ્લા પંચાયતની બેઠક મુજબ સભા યોજી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે, ત્‍યારે આ વખતે આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખીઓ જંગ રહેશે કે પછી ભાજપનો એક તરફી રહેશે તે જોવું રહ્યું ત્રણેય પક્ષોમાંથી ડમી ઉમેદવારી પત્રકો પણ રજૂ થયા છે ત્‍યારે ચકાસણી અને બાદમાં ઉમેદવારી પત્રક ખેંચવાના દિવસે ચિત્ર સ્‍પષ્ટ થશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

Leave a Comment