Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના બારપૂડા ગામે જય આદિવાસી મહાસંઘ દ્વારા શિવ ગુફાહૉલમાં 147 મી બિરસા મુંડાની જન્‍મજયંતિ ઉજવણીમાં ચંદુભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, ખુશાલભાઈ વાઢું દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે 147મી જન્‍મજયંતિ ઉજવણીમાં ચંદુભાઈ પટેલે જણાવ્‍યું કે અમર બિરસાને આજે ભગવાન ધરતી અબ્‍બા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્‍વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્‍મ આજના દિવસે 15 નવેમ્‍બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્‍વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. ખુશાલભાઈ વાઢું એ જણાવ્‍યું કે આદિવાસી સમાજને એક થવાની જરૂરી છે. ઉપસ્‍થિત અનેક અગ્રણીઓ દ્વારા આદિવાસી સમાજ માટે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વસંતભાઈ પટેલ, માધુભાઈ સરનાયક રાજુભાઈ દેસાઈ, કપરાડા સરપંચો આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમ ભાસ્‍કર શીંગાડે ભાસ્‍કર ફોદાર, આદિવાસી મહાસંઘની ટિમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ નિહાળીને બધાની આંખો ભીની થઈ

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment