Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ગ્રામ પંચાયત સભાખંડમાં બે દિવસીય સાગર કવચના આયોજનને લઈને કોસ્‍ટલ પોલીસ અધિકારી બલરાજ સિંહ તથા પોર્ટ અધિકારીએ માછીમારો સાથે યોજી બેઠક, દીવ એસપી મની ભૂષણ સિંહના માર્ગદર્શનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા બે દિવસીય કોસ્‍ટલ પોલીસ સિકયુરિટી એક્‍સસાઈઝ સી વિઝિલ 2022 ના આયોજન વિશેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી, અને ઉપસ્‍થિત માછીમારોને આ બે દિવસ દરમિયાન સહકાર આપવા જણાવ્‍યું હતું. ઉપસ્‍થિત ઓફિસરએ જણાવ્‍યું હતું કે, કોસ્‍ટલ પોલીસ સિકયુરિટી એક્‍સસાઈઝ સી વિઝિલ 2022 દરમિયાન એક વોટ્‍સએપ ગૃપ બનાવવામાં આવ્‍યુ છે, દરેક જેમાં કોઈ પણ જાતની પરિસ્‍થિતિ, સૂચના અને જાણ કરવા માટે ઉપયોગ કરવો, સિ વિઝિલ 2022 દરમિયાન ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે, આપદા સમયે તેનો પણ ઉપયોગ કરી શકાશે, દીવ જિલ્લામાં દરિયાઈ પટ્ટી પર, ચેક પોસ્‍ટ પર, ઐતિહાસીક સ્‍થળો, ભીડ વાળી જગ્‍યાએ વગેરે સતત સિકયુરિટી તથા પેટ્રોલિંગ રહેશે. આ બે દિવસીય સાગર કવચ ને સફળ બનાવવા માછીમારોને સહયોગ આપવા અપીલ કરી હતી.

Related posts

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

vartmanpravah

સેલવાસ પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડયા

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

vartmanpravah

અનંત ચૌદસના દિવસે પારડીમાં 40 થી વધુ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

Leave a Comment