January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ કરેલી વ્‍યવસ્‍થા સાથે પ્રધાનમંત્રીશ્રીના અનેક ઉપકારોનું ઋણ માથે ચડાવવા પોતાનું ઘર બંધ રાખીને પણ પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ મુકેશ ગોસાવીએ કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15 : આજે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભામટી તળાવ ફળિયા ખાતે આજે સાંજે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં ગામલોકો સાથે પંચાયત દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્‍યો હતો અને ભગવાન બિરસા મુંડાના યોગદાનની પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલના કારણે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ15મી નવેમ્‍બરના રોજ દર વર્ષે ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આવતા વર્ષે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભવ્‍ય કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા દરેક આદિવાસી પ્રકૃત્તિપ્રેમી હોવાથી પર્યાવરણના સાચા સંરક્ષક પણ આપણાં આદિવાસીઓ હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ ગ્રામજનોને તાકિદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ વ્‍યવસ્‍થા કરેલી છે. તેથી પ્રધાનમંત્રીશ્રીનું ઋણ માથે ચડાવવા જે રીતે લાઈબ્રેરીના ઉદ્‌ઘાટન સમયે ઘર બંધ કરીને આવ્‍યા હતા તે રીતે મોટી સંખ્‍યામાં આવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે ગ્રામજનોએ પણ સરપંચશ્રીને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા વચન આપ્‍યું હતું. કેટલીક સમસ્‍યાઓની બાબતમાં પણ ગામલોકોએ જાણકારી આપી હતી તેને નિર્ધારિત સમયમાં ઉકેલવા પંચાયત દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રીનિખિલ મીટનાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સલાહકાર સમિતિના શ્રી ગણેશભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી રમણભાઈ હળપતિ, શ્રી ભરતભાઈ હળપતિ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

Leave a Comment