April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ કરેલી વ્‍યવસ્‍થા સાથે પ્રધાનમંત્રીશ્રીના અનેક ઉપકારોનું ઋણ માથે ચડાવવા પોતાનું ઘર બંધ રાખીને પણ પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ મુકેશ ગોસાવીએ કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15 : આજે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભામટી તળાવ ફળિયા ખાતે આજે સાંજે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં ગામલોકો સાથે પંચાયત દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્‍યો હતો અને ભગવાન બિરસા મુંડાના યોગદાનની પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલના કારણે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ15મી નવેમ્‍બરના રોજ દર વર્ષે ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આવતા વર્ષે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભવ્‍ય કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા દરેક આદિવાસી પ્રકૃત્તિપ્રેમી હોવાથી પર્યાવરણના સાચા સંરક્ષક પણ આપણાં આદિવાસીઓ હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ ગ્રામજનોને તાકિદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ વ્‍યવસ્‍થા કરેલી છે. તેથી પ્રધાનમંત્રીશ્રીનું ઋણ માથે ચડાવવા જે રીતે લાઈબ્રેરીના ઉદ્‌ઘાટન સમયે ઘર બંધ કરીને આવ્‍યા હતા તે રીતે મોટી સંખ્‍યામાં આવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે ગ્રામજનોએ પણ સરપંચશ્રીને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા વચન આપ્‍યું હતું. કેટલીક સમસ્‍યાઓની બાબતમાં પણ ગામલોકોએ જાણકારી આપી હતી તેને નિર્ધારિત સમયમાં ઉકેલવા પંચાયત દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રીનિખિલ મીટનાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સલાહકાર સમિતિના શ્રી ગણેશભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી રમણભાઈ હળપતિ, શ્રી ભરતભાઈ હળપતિ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

ફડવેલનાં સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સમર્થકો સાથે ભાજપનાં તાં.પં. સભ્‍ય વારંવાર ખોટી ફરિયાદ કરતા તેમના વિરૂધ્‍ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment