April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ કરેલી વ્‍યવસ્‍થા સાથે પ્રધાનમંત્રીશ્રીના અનેક ઉપકારોનું ઋણ માથે ચડાવવા પોતાનું ઘર બંધ રાખીને પણ પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ મુકેશ ગોસાવીએ કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15 : આજે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભામટી તળાવ ફળિયા ખાતે આજે સાંજે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં ગામલોકો સાથે પંચાયત દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્‍યો હતો અને ભગવાન બિરસા મુંડાના યોગદાનની પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલના કારણે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ15મી નવેમ્‍બરના રોજ દર વર્ષે ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આવતા વર્ષે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભવ્‍ય કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા દરેક આદિવાસી પ્રકૃત્તિપ્રેમી હોવાથી પર્યાવરણના સાચા સંરક્ષક પણ આપણાં આદિવાસીઓ હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ ગ્રામજનોને તાકિદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ વ્‍યવસ્‍થા કરેલી છે. તેથી પ્રધાનમંત્રીશ્રીનું ઋણ માથે ચડાવવા જે રીતે લાઈબ્રેરીના ઉદ્‌ઘાટન સમયે ઘર બંધ કરીને આવ્‍યા હતા તે રીતે મોટી સંખ્‍યામાં આવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે ગ્રામજનોએ પણ સરપંચશ્રીને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા વચન આપ્‍યું હતું. કેટલીક સમસ્‍યાઓની બાબતમાં પણ ગામલોકોએ જાણકારી આપી હતી તેને નિર્ધારિત સમયમાં ઉકેલવા પંચાયત દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રીનિખિલ મીટનાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સલાહકાર સમિતિના શ્રી ગણેશભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી રમણભાઈ હળપતિ, શ્રી ભરતભાઈ હળપતિ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

Leave a Comment