September 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ કરેલી વ્‍યવસ્‍થા સાથે પ્રધાનમંત્રીશ્રીના અનેક ઉપકારોનું ઋણ માથે ચડાવવા પોતાનું ઘર બંધ રાખીને પણ પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ મુકેશ ગોસાવીએ કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15 : આજે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભામટી તળાવ ફળિયા ખાતે આજે સાંજે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં ગામલોકો સાથે પંચાયત દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્‍યો હતો અને ભગવાન બિરસા મુંડાના યોગદાનની પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલના કારણે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ15મી નવેમ્‍બરના રોજ દર વર્ષે ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આવતા વર્ષે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભવ્‍ય કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા દરેક આદિવાસી પ્રકૃત્તિપ્રેમી હોવાથી પર્યાવરણના સાચા સંરક્ષક પણ આપણાં આદિવાસીઓ હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ ગ્રામજનોને તાકિદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ વ્‍યવસ્‍થા કરેલી છે. તેથી પ્રધાનમંત્રીશ્રીનું ઋણ માથે ચડાવવા જે રીતે લાઈબ્રેરીના ઉદ્‌ઘાટન સમયે ઘર બંધ કરીને આવ્‍યા હતા તે રીતે મોટી સંખ્‍યામાં આવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે ગ્રામજનોએ પણ સરપંચશ્રીને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા વચન આપ્‍યું હતું. કેટલીક સમસ્‍યાઓની બાબતમાં પણ ગામલોકોએ જાણકારી આપી હતી તેને નિર્ધારિત સમયમાં ઉકેલવા પંચાયત દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રીનિખિલ મીટનાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સલાહકાર સમિતિના શ્રી ગણેશભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી રમણભાઈ હળપતિ, શ્રી ભરતભાઈ હળપતિ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

વડોદરા ખાતે સંકલ્પ સોશિયલ વર્ક ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સ્વારી) દ્વારા ઍક દિવસીય પરિસંવાદ યોજાયોઃ ભવિષ્યના વ્યવસાય અને તકો તથા વંચિતતા અને વિકાસ જેવા વિષય પર થયેલી વિશદ્ ચર્ચા

vartmanpravah

Leave a Comment