June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: દીવ વિસ્‍તારમાં આજે આગ લાગવાના બે બનાવો બનવા પામ્‍યા છે. દીવ ઘોઘલાના સ્‍મશાનની આસપાસમાં અગ્નિસંસ્‍કાર માટે લાકડાઓ રાખવામાં આવ્‍યા છે તથા તેની સાથે તાઉતે વાવાઝોડા સમયએ રાખવામાં આવેલ જુના લાકડામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આજે સવારે 11 વાગ્‍યાની આસપાસ આ જૂના લાકડાઓમાં અચાનક આગ લાગતી દેખાતા આસપાસના લોકોએ આગને બુઝાવવાનો પ્રયાસકર્યો હતો હતો પરંતુ આગ કાબૂમાં ન આવતા દીવ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જાણ થતાં જ સમયસર ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્‍થળે પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી.
તેજ રીતે દીવ ફાયર બ્રિગેડને દીવ ટેલીફોન એક્‍સચેન્‍જ પાછળ આગ લાગવા નો ફોન ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવી હતી, ત્‍યાં પહોંચ્‍યા પહેલાં જ ત્‍યાં આસપાસ ના સ્‍થાનિક લોકોએ આગને બૂઝાવી નાંખી હતી. આ વિસ્‍તાર રહેણાંક હોવાથી ત્‍યાં રહેલી નાળિયેરીની નીચે પડેલા લાકડામાં આગ લાગી હતી, ત્‍યા ફાયર બ્રિગેડ નિરીક્ષણ બાદ પાણીનો છંટકાવ કર્યો હતો.
લોકોની સતર્કતા તથા ફાયર બ્રિગેડની ટીમના પ્રયાસ થી આગ ને કાબૂ માં લીધી જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
===

Related posts

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમસ્‍ત સંઘપ્રદેશમાં સૂર્યોદયની સાથે છવાયેલો યોગ અભ્‍યાસ: મોટી દમણના જમ્‍પોર બીચ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં યોજાયો વિશાળ યોગાભ્‍યાસ

vartmanpravah

Leave a Comment