March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાની સાદકપોર ગ્રામ પંચાયતની પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા સરપંચ જૂથમાં સોપો પડી જવા પામ્‍યો હતો. સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં આઠ અને વિરોધમાં ચાર મતોપડ્‍યા હતા. સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તને મામલે આજે ગ્રામ પંચાયત કચેરીમાં પોલીસ બંદોબસ્‍ત સાથે તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી ભારતીબેન પટેલ, તલાટી અસ્‍મિતાબેનની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ પટેલ, સુભાષભાઈ વર્મા, દિવ્‍યાબેન, ભારતીબેન, દિવ્‍યાનીબેન, જ્‍યોત્‍સનાબેન, અનુમતિબેન, મનીષાબેન સહિતના આઠ જેટલા સભ્‍યોએ અને વિરૂધ્‍ધમાં સરપંચ દશરથભાઈ સહિત ચાર જેટલા મત પડતા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત વિના વિઘ્‍ને પાર પડી હતી.
ત્રણ દિવસની સમય મર્યાદામાં કોર્ટમાંથી સ્‍ટે ન મળશે તો દશરથ પટેલનો સરપંચ પદનો તાજ છીનવાઈ જશે. અને ડેપ્‍યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોપાશે.
સાદકપોરમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા સ્‍થાનિક ભાજપી આગેવાનો ગેલમાં આવી ગયા હતા. અને સ્‍થાનિક આગેવાન એવા એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન તાલુકા પંચાયત કારોબારી સમિતિના સભ્‍ય રમેશભાઈ પટેલ સહિતનાઓએ ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ પટેલ સહિત તમામ સભ્‍યોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી 

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment