Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં આજે વિશ્વ મત્‍સ્‍યપાલન દિવસની થનારી ઉજવણી : સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં કાર્યક્રમ

  • આજે ભારત સરકારના ફિશરીઝ, એનિમલ હસબન્‍ડરી અને ડેરી મંત્રાલયના કેન્‍દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાજ્‍યમંત્રી સંજીવ કુમાર બલીયાન તથા રાજ્‍યમંત્રી ડો. એલ. મુર્ગનની રહેનારી ઉપસ્‍થિતિ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પણ મુખ્‍યઅતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: મત્‍સ્‍યોદ્યોગ વિભાગ, મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર અને રાષ્‍ટ્રીય મત્‍સ્‍યપાલન વિકાસ બોર્ડ દ્વારા 21 નવેમ્‍બર, 2022ના રોજ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ, દમણ ખાતે ‘વિશ્વ મત્‍સ્‍યપાલન દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર છેલ્લાં ત્રણ વર્ષ 2019-20થી 2021-22 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્‍યો/જિલ્લાઓને, ઈન્‍લૅન્‍ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્‍તાર, ઈન્‍લૅન્‍ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્‍તાર માટે શ્રેષ્ઠ જિલ્લો, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્‍તારમાં શ્રેષ્ઠ અર્ધસરકારી સંગઠનો/ફેડરેશન/કોર્પોરેશન/બોર્ડને એવોર્ડ આપશે. આ ઉપરાંત બેસ્‍ટ ફિશ ફાર્મર (ઈન્‍લૅન્‍ડ, મરીન અને પર્વતીય અને ઉત્તર-પૂર્વ પ્રદેશ), બેસ્‍ટ હેચરી (ફિશ, ઝીંગા અને ટ્રાઉટ હેચરી), બેસ્‍ટ ફિશરીઝ એન્‍ટરપ્રાઈઝીસ, બેસ્‍ટ ફિશરીઝ કો-ઓપરેટિવ સોસાયટીઝ/એફપીઓ/એસએચજીઝ, શ્રેષ્ઠ વ્‍યક્‍તિગત ઉદ્યોગ સહાસિકો, બેસ્‍ટ ઇનોવેશન આઇડિયા/ટેકનોલોજી ઈન્‍ફયુઝનને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સાગર પરિક્રમા – ગુજરાતી સંસ્‍કરણ પરનું વીડિયો ગીત, એસએસએસ : ઈન્‍ડિયા@ 75 – ‘‘ભારતીય મત્‍સ્‍યઉદ્યોગમાંથી 100 સુપર સક્‍સેસસ્‍ટોરીઝ”, પોસ્‍ટર્સ અને અન્‍ય પ્રકાશનોનું વિમોચન કરવામાં આવશે.
સંસ્‍થાઓ/સરકારી સંસ્‍થાઓ/ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત વિવિધ ટેકનોલોજીનાં હસ્‍તાંતરણ માટે પ્રદર્શનો દ્વારા એક્‍સપોઝર આપવામાં આવશે, 20 સ્‍ટોલ્‍સ ઊભા કરવામાં આવશે.
બપોરના ટેકનિકલ સત્રો બાદ આઈસીએઆર-સીઆઈએફઈના વૈજ્ઞાનિકો નવી ટેકનોલોજી ઉમેરણ, એની સંભવિતતાઓ અને સમસ્‍યાઓ ઉચ્‍ચ સઘન જળચર ઉછેર પ્રણાલી, આઇસીએઆર-સીએમએફઆરઆઈ દ્વારા ખુલ્લા સમુદ્રમાં કેજ કલ્‍ચર અને એમ.પી.ઈ.ડી.એ. દ્વારા ઝીંગા કલ્‍ચરની સ્‍થિતિ અને નિકાસ અને સ્‍થાનિક બજારની તકો તથા ઇન્‍વેસ્‍ટ ઈન્‍ડિયા દ્વારા ભારતમાં મત્‍સ્‍યઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણના અવકાશ પર સત્રોનો સમાવેશ થાય છે. વ્‍યાપક પહોંચ મેળવવા માટે સમગ્ર કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભારત સરકાર મત્‍સ્‍યપાલન ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મોખરે છે તથા દેશમાં બ્‍લુ ક્રાંતિ મારફતે ટકાઉ મત્‍સ્‍યપાલન અને જળચરઉછેર તથા આર્થિક ક્રાંતિ લાવે છે. આ ક્ષેત્રમાં જળચરઉછેરને સઘન અને વિસ્‍તૃત કરીને, મત્‍સ્‍યપાલન વ્‍યવસ્‍થાપનમાં સુધારો કરીને, મત્‍સ્‍યપાલન અને જળચરઉછેરમાં નવીનતા લાવીને ખેડૂતોની આવક વધારવાની કલ્‍પના કરવામાં આવી હતી, જેથી ગુણવત્તામાં સુધારો અને વેસ્‍ટમાં ઘટાડો થશે.
આ ક્ષેત્રનીસંભવિતતાને ધ્‍યાનમાં રાખીને, પ્રધાનમંત્રીએ મે, 2020માં પાંચ વર્ષના ગાળા માટે રૂ. 20,050 કરોડથી વધુના બજેટ સાથે ‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજના (પીએમએમએસવાય) શરૂ કરી હતી. પીએમએમએસવાયનો ઉદ્દેશ વર્ષ 2024-25 સુધીમાં હાલનાં 13.76 એમએમટીથી 22 એમએમટીનું મત્‍સ્‍ય ઉત્‍પાદન હાંસલ કરવાનો છે તથા આ ક્ષેત્ર મારફતે આશરે 55 લાખ માનવશક્‍તિને રોજગારીની વધારાની તકો ઊભી કરવાનો તેમજ મત્‍સ્‍યપાલન અને મત્‍સ્‍યપાલન ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ ફંડ (એફઆઈડીએફ) યોજના પણ છે, જેની શરૂઆત વર્ષ 2018-19માં રૂ. 7,522.48 કરોડનાં બજેટ સાથે થઈ હતી. એફઆઈડીએફ ખાસ કરીને દરિયાઈ અને આંતરિક મત્‍સ્‍યપાલન એમ બંને ક્ષેત્રોમાં મત્‍સ્‍ય ઉત્‍પાદનમાં વધારો કરવા અને લક્ષ્યાંક હાંસલ કરી શકાય એ માટે મત્‍સ્‍યપાલનની માળખાગત સુવિધાઓ ઊભી કરવાની કામગીરી કરશે. એફઆઈડીએફ હેઠળ પ્રોજેક્‍ટ્‍સ અંદાજિત/વાસ્‍તવિક પ્રોજેક્‍ટ ખર્ચના 80 ટકા સુધીની લોન મેળવવાને પાત્ર છે, જેમાં વ્‍યાજમાં 3 ટકા સુધીની આર્થિક સહાય સામેલ છે. આ કાર્યક્રમ સ્‍વસ્‍થ મહાસાગરીય ઇકોસિસ્‍ટમ્‍સ અને ટકાઉ મત્‍સ્‍યપાલનનાં મહત્ત્વ પર જાગૃતિ લાવશે.
કેન્‍દ્રીય મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી રાજ્‍યમંત્રી ડૉ.સંજીવકુમાર બલિયાન, મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી રાજ્‍યમંત્રી ડૉ. એલ મુરુગન, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, ભારત સરકારના મત્‍સ્‍યપાલન વિભાગના સચિવ શ્રી જતિન્‍દ્રનાથ સ્‍વૈન, એનએફડીબીના ચીફ એક્‍ઝિક્‍યુટીવ, ભારત સરકારનાં મત્‍સ્‍યપાલન વિભાગનાં સંયુક્‍ત સચિવો (મત્‍સ્‍યપાલન) આ પ્રસંગે, ઉપસ્‍થિત રહેશે. દમણ અને દીવ દમણના મત્‍સ્‍યપાલન વિભાગ તથા મત્‍સ્‍યપાલન વિભાગનાં વિવિધ રાજ્‍યોનાં અધિકારીઓ, એનએફડીબી તથા અન્‍ય સંબંધિત વિભાગો/મંત્રાલયો, માછલી-ખેડૂતો, માછીમારો, ઉદ્યોગસાહસિકો, હિતધારકો, શિક્ષણવિદો અને સંશોધકો, વ્‍યાવસાયિકો, રાજ્‍યનાં મત્‍સ્‍યપાલન અધિકારીઓ અને દેશભરના વૈજ્ઞાનિકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment