નવસારીમાં 900થી વધુ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેનો લોગો બનાવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે 900 થી વધુ શિક્ષકોએ સામૂહિક રીતે મોબાઈલના ફલેશ લાઈટ વડે આંગળીનો સિમ્બોલ બનાવી વિશાળ માનવકળત્તિ રચીનેઆકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો અને શિક્ષકોએ આમ નાગરિકોને મતદાન કરવા જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો.