April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: વલસાડ-નવસારી નેશનલ હાઈવે પર બલવાડા સ્‍થિત ઓવરબ્રિજની શરૂઆતમાં તીવ્ર વળાક છે. બીજી તરફ ઓવરબ્રિજની શરૂઆતના છેડા પર રીફલેક્‍ટર જેવી સામાન્‍ય વ્‍યવસ્‍થા હાલે નથી. આ ઉપરાંત લાઈટની પણ વ્‍યવસ્‍થા ન હોવાથી રાત પડતા જ અંધકાર છવાઈ જતો હોય છે. ઉપરાંત સ્‍થિતિમાં પુરપાટ ઝડપે આવતા વાહનોના ચાલકોને ઘણીવાર પોતાના વાહન પર કાબૂ રાખવાનું મુશ્‍કેલ બની જતું હોય છે.
બલવાડા નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પાસે 30-નવેમ્‍બરના રોજ એક ઈનોવા કાર પલટીને સર્વિસ રોડ પર પડતા એક મહિલાનું મોત નીપજ્‍યું હતું. આ બનાવના અઠવાડિયામાં જ આજ સ્‍થળે ગત રાત્રે સુરત તરફ જઈ રહેલ કાર નંબર એચપી-17-જી-0145ના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા કારને વ્‍યાપક નુકસાન થવા સાથે કારમાં સવારોને પણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્‍યું હતું.
જોકે આ લખાય ત્‍યાં સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુ હાઇવે ઓથોરિટીના બેદરકારી ભર્યા વહીવટમાં એક જ અઠવાડિયામાં અકસ્‍માતની બીજીઘટના બનતા સ્‍થાનિકોમાં પણ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‍યો હતો. બલવાડા હાઈવે ઓવર બ્રિજ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા લોકોની સલામતી અંગે ગંભીરતા દાખવી જરૂરી રિફલેકટર અને લાઇટની વ્‍યવસ્‍થા કરવા હજુ પણ મુહૂર્ત શોધશે કે પછી વ્‍યવસ્‍થા કરાશે તે જોવું રહ્યું.

Related posts

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્‍પસ-સેલવાસ ખાતે સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ અને જીએનએલયુના ચાન્‍સેલર જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીએ નવનિર્મિત મૂટ કોર્ટ હોલ, લીગલ એઈડ ક્‍લિનિક અને લાઈબ્રેરીનું કરેલું ઉ્‌દઘાટન

vartmanpravah

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

Leave a Comment