24 કલાક પાઠ, યગ્ન અને મહાપ્રસાદનું થયું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી શહેરમાં આવેલા પવિત્ર રોકડીયા હનુમાનજીના મંદિરે દર વર્ષે અખંડ રામાયણ પાઠનું ભક્તિભાવ પૂર્વક આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મંગળવારના રોજ સવારે સમસ્ત ઉત્તર ભારતીય સેવા સમિતિ કિલ્લા પારડી દ્વારા તુલસીદાસ રચિત શ્રીરામ ચરિત માનસ અખંડ રામાયણ પાઠ વિદ્વાન પંડિતોના મુખેથી શરૂ કરવામાં આવ્યા હતા. જેનું 24 કલાક પઠન કરાશે. હનુમાનજીના મંદિરે રામાયણ પાઠ આજથી શરૂ થતાં પારડી શહેરનો માહોલ ભક્તિમય બન્યો છે. બુધવારના રોજ ત્રણ કલાકે પાઠ પૂર્ણ થશે, ત્યારબાદ યજ્ઞ અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પાઠ, યજ્ઞ સાથે મહાપ્રસાદમાં ભાગ લેવા લોકોને સમસ્ત ઉત્તર ભારતીય સેવાસમિતિ અનુરોધ કરાયો છે.