Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

આધાર ફાઈનાન્‍સ લી. નામની ઓફિસમાં લોનધારક રામજી યાદવ, શૈલેષ યાદવ અને અન્‍ય લોકોએ મારામારી કરી 15 હજાર લૂંટી લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી ગુંજન વિસ્‍તારમાં આવેલ ખુશ્‍બુ પ્‍લાઝા કોમ્‍પલેક્ષ સ્‍થિત ફાઈનાન્‍સ કંપનીમાં લોનધારક અને સાગરીતો ગતરોજ બપોરે ધસી આવ્‍યા હતા. ગ્રાહકોની સામે બોલાચાલી કરી હતી તેથી ઓફિસ સ્‍ટાફે તેમને બહાર કાઢતા ઉશ્‍કેરાયેલા લોનધારકના સાગરીતોએ ઓફિસમાં મારામારી કરી ફર્નિચરની તોડફોડ કરી હતી. ઘટનાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસમાં નોંધાવાઈ હતી.
ફરિયાદ અનુસારગુંજન વિસ્‍તારમાં આવેલ ખુસ્‍બુ પ્‍લાઝા નામના કોમ્‍પલેક્ષમાં હાઉસિંગ લોન આપતી આધાર ફાઈનાન્‍સ કંપની કાર્યરત છે. ગતરોજ બપોરે ઓફિસમાં કામ કરતા વિપુલ ઠાકોર, બ્રાન્‍ચ મેનેજર ધર્મેશ નાનુ પટેલ, યજ્ઞેશ રાણા ઓપરેશન મેનેજર, કેશીયર ભાવિક પટેલ વગેરે હાજર રહ્યા હતા ત્‍યારે નામધા નવીનગરીમાં રહેતો લોન ધારક રીંકુ રામા યાદવનો ભાઈ વિજયરાજ બહાદુર, રામજી રામા યાદવ વગેરે ધસી આવ્‍યા હતા. હપ્તા અને વ્‍યાજ બાબતે વાતચિતમાં રામજી યાદવ ઉગ્ર બની ગયો હતો અને મારામારી ઉપર ઉતરી આવેલો. ઓફિસ તોડફોડ કરી હાજર સ્‍ટાફને મુઢ માર માર્યો હતો. મારામારીની ઘટનામાં ભાવેશ પાસે રહેલા કલેકશનના રૂા.15 હજાર લઈ ઈસમો નાસી ગયા હતા. તમામ ઘાયલોને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલ ધર્મેશ પટેલએ જી.આઈ.ડી.સી. પોલીસમાં માથાભારે રામજી યાદવ, શૈલેષ યાદવ અને અન્‍ય બે ઈસમો વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વિધાનસભા બેઠકના પ્રવાસી વિસ્‍તારક મુંબઈના કૃષ્‍ણા આબેકરએ વાપી ભાજપ સાથે મીટિંગ યોજી

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્‍ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્‍પર્ધા

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment