June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના સાંસદ કાર્યાલય ખાતે પોતાની ટીમ સાથે પદ્મવિભૂષણ શ્રી રતન તાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આજે ભારતે એક મહાન દાનવીર ઉદ્યોગપતિ અને પ્રેરણાદાયક વ્‍યક્‍તિત્‍વને ગુમાવ્‍યું છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ શ્રી રતન તાતાએ ફક્‍ત ભારતીય ઉદ્યોગ જગતને જ નવી ઊંચાઈઓ પર નથી પહોંચાડયા, પરંતુ પોતાના સામાજિક કાર્યોથી પણ અનેક બુલંદીઓ સર કરી છે. તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી આપણને દરેકને પ્રેરણા આપતી રહેશે અને તેમની કમી આપણાં દરેકને હંમેશ માટે વર્તાતી રહેશે.

Related posts

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

વાપી-ચલા, નામધા- ચંડોર વિસ્‍તારમાં વારંવાર થતા વીજકાપ સમસ્‍યાની કોંગ્રેસ દ્વારા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

Leave a Comment