January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

આધાર ફાઈનાન્‍સ લી. નામની ઓફિસમાં લોનધારક રામજી યાદવ, શૈલેષ યાદવ અને અન્‍ય લોકોએ મારામારી કરી 15 હજાર લૂંટી લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી ગુંજન વિસ્‍તારમાં આવેલ ખુશ્‍બુ પ્‍લાઝા કોમ્‍પલેક્ષ સ્‍થિત ફાઈનાન્‍સ કંપનીમાં લોનધારક અને સાગરીતો ગતરોજ બપોરે ધસી આવ્‍યા હતા. ગ્રાહકોની સામે બોલાચાલી કરી હતી તેથી ઓફિસ સ્‍ટાફે તેમને બહાર કાઢતા ઉશ્‍કેરાયેલા લોનધારકના સાગરીતોએ ઓફિસમાં મારામારી કરી ફર્નિચરની તોડફોડ કરી હતી. ઘટનાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસમાં નોંધાવાઈ હતી.
ફરિયાદ અનુસારગુંજન વિસ્‍તારમાં આવેલ ખુસ્‍બુ પ્‍લાઝા નામના કોમ્‍પલેક્ષમાં હાઉસિંગ લોન આપતી આધાર ફાઈનાન્‍સ કંપની કાર્યરત છે. ગતરોજ બપોરે ઓફિસમાં કામ કરતા વિપુલ ઠાકોર, બ્રાન્‍ચ મેનેજર ધર્મેશ નાનુ પટેલ, યજ્ઞેશ રાણા ઓપરેશન મેનેજર, કેશીયર ભાવિક પટેલ વગેરે હાજર રહ્યા હતા ત્‍યારે નામધા નવીનગરીમાં રહેતો લોન ધારક રીંકુ રામા યાદવનો ભાઈ વિજયરાજ બહાદુર, રામજી રામા યાદવ વગેરે ધસી આવ્‍યા હતા. હપ્તા અને વ્‍યાજ બાબતે વાતચિતમાં રામજી યાદવ ઉગ્ર બની ગયો હતો અને મારામારી ઉપર ઉતરી આવેલો. ઓફિસ તોડફોડ કરી હાજર સ્‍ટાફને મુઢ માર માર્યો હતો. મારામારીની ઘટનામાં ભાવેશ પાસે રહેલા કલેકશનના રૂા.15 હજાર લઈ ઈસમો નાસી ગયા હતા. તમામ ઘાયલોને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલ ધર્મેશ પટેલએ જી.આઈ.ડી.સી. પોલીસમાં માથાભારે રામજી યાદવ, શૈલેષ યાદવ અને અન્‍ય બે ઈસમો વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

vartmanpravah

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment