Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શષા ગણાવ્‍યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે ખુલેલા ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારોઃ સરપંચ મુકેશ ગોસાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06: દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણના નિર્માતા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ફક્‍ત અનુજાતિ કે જનજાતિના લોકોનું જ નહીં પરંતુ મહિલા, કામદારો તથા અન્‍ય પછાત વર્ગ સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્‍થાન માટે કામ કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શષા ગણાવ્‍યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરીઆજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરવામાં આવે તો છેવાડેના દરેક લોકો માટે ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારો ખુલી ગયા છે. તેમણે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી મેડિકલ, પેરા મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ, ફેશન ડિઝાઈનીંગની કોલેજો આપણા પ્રદેશના બાળકોની શિક્ષણની ભૂખ ઉઘાડવા માટે શરૂ થઈ છે. તેથી અડધી રોટલી ખાઈને પણ બાળકને ભણાવવા ઉપર તેમણે જોર આપ્‍યું હતું.
આ પ્રસંગે ઉપસરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી નટવરભાઈ પેઈન્‍ટર સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ઉપસ્‍થિત તમામ લોકોએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યું હતું.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

vartmanpravah

Leave a Comment