April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે : બપોરે 3 વાગ્‍યા સુધી પરિણામ આવી જશે : ચુસ્‍ત બંદોબસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લાની પાંચી વિધાનસભા બેઠકની સામાન્‍ય ચૂંટણીનું મતદાન ગત તા.01 ડિસેમ્‍બરના રોજ પૂર્ણ થયું હતું. વર્તમાન ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આપ અને અપક્ષ મળી કુલ 35 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તા.01 ડિસેમ્‍બરે મતદારોએ 1823 ઈવીએમમાં મત નાખીને 35 ઉમેદવારોનું ભાવિ કેદ કર્યું હતું. આવતીકાલ 8મી ડિસેમ્‍બરના રોજ વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં જ્‍યાં સ્‍ટ્રોંગ રૂમ હતો ત્‍યાં મત ગણતરી સવારે 8:00 કલાકે હાથ ધરાશે. બપોરે 3 વાગ્‍યા સુધીમાં પાંચ બેઠકોનું પરિણામ સંભવતઃ આવી જશે. આવતીકાલના ગુરુવારના દિવસે મતદારોના ચુકાદો આવી જશે. 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે. કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ અપલક્ષમાં મતગણતરી કેન્‍દ્ર આસપાસ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ખડકી દેવામાં આવશે.
મતગણતરીના પૂર્વ દિવસે આજે સમગ્ર જિલ્લામાં પરિણામ અંગેની ઉત્તેજના સાથે પાનના ગલ્લે અને સલુનોમાં અનેક તર્કવિતર્કો ઘરેલુ રાજકીય પંડિતો પોતપોતાની ડીંગ હાંકતા જોવા મળ્‍યા હતા. વલસાડની પાંચ બેઠકો પૈકી ધરમપુર 64.77 ટકા, વલસાડ61.33 ટકા, પારડી 63.35 ટકા, કપરાડા 75.17 ટકા અને ઉમરગામ 61.75 ટકા મતદાન થયું છે. 2017 ની ચૂંટણી કરતા 2022માં એવરેજ બેઠકો ઉપર 3 થી 13 ટકા મતદાન ઘટયુ છે. પરંતુ 2022ના સમિકરણો અલગ છે. 2017માં માત્ર દ્વિપાંખીયો જંગ હતો જ્‍યારે 2022માં ત્રિપાંખીયો અને ચતુર્થ પાંખીયો જંગ ખેલાયો હતો. તેથી દેખીતી રીતે જ ભલુ મતદાનની ટકાવારી ઘટી પણ મતોનું ધ્રુવીકરણ ચોક્કસ થયું હોવાથી તેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે. ફક્‍ત ધરમપુર, કપરાડામાં રિવરલીંકનો મુદ્દો રહ્યો છે. બાકી ત્રણ બેઠકો માટે કોઈ પ્રભાવી મુદ્દો હતો નહીં. જોવુ એ રહેશે કે આવતીકાલે કહી ખુશી, કહી ગમના દૃશ્‍યો જોવા મળશે. અંતે મતદારોનો ચુકાદો જે આવે તે 35 ઉમેદવારોએ માથે ચઢાવવો જ રહ્યો.

Related posts

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

નાનાપોંઢા સીએચસી હેલ્‍થ સેન્‍ટરમાં આહાર કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

Leave a Comment