September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે : બપોરે 3 વાગ્‍યા સુધી પરિણામ આવી જશે : ચુસ્‍ત બંદોબસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લાની પાંચી વિધાનસભા બેઠકની સામાન્‍ય ચૂંટણીનું મતદાન ગત તા.01 ડિસેમ્‍બરના રોજ પૂર્ણ થયું હતું. વર્તમાન ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આપ અને અપક્ષ મળી કુલ 35 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તા.01 ડિસેમ્‍બરે મતદારોએ 1823 ઈવીએમમાં મત નાખીને 35 ઉમેદવારોનું ભાવિ કેદ કર્યું હતું. આવતીકાલ 8મી ડિસેમ્‍બરના રોજ વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં જ્‍યાં સ્‍ટ્રોંગ રૂમ હતો ત્‍યાં મત ગણતરી સવારે 8:00 કલાકે હાથ ધરાશે. બપોરે 3 વાગ્‍યા સુધીમાં પાંચ બેઠકોનું પરિણામ સંભવતઃ આવી જશે. આવતીકાલના ગુરુવારના દિવસે મતદારોના ચુકાદો આવી જશે. 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે. કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ અપલક્ષમાં મતગણતરી કેન્‍દ્ર આસપાસ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ખડકી દેવામાં આવશે.
મતગણતરીના પૂર્વ દિવસે આજે સમગ્ર જિલ્લામાં પરિણામ અંગેની ઉત્તેજના સાથે પાનના ગલ્લે અને સલુનોમાં અનેક તર્કવિતર્કો ઘરેલુ રાજકીય પંડિતો પોતપોતાની ડીંગ હાંકતા જોવા મળ્‍યા હતા. વલસાડની પાંચ બેઠકો પૈકી ધરમપુર 64.77 ટકા, વલસાડ61.33 ટકા, પારડી 63.35 ટકા, કપરાડા 75.17 ટકા અને ઉમરગામ 61.75 ટકા મતદાન થયું છે. 2017 ની ચૂંટણી કરતા 2022માં એવરેજ બેઠકો ઉપર 3 થી 13 ટકા મતદાન ઘટયુ છે. પરંતુ 2022ના સમિકરણો અલગ છે. 2017માં માત્ર દ્વિપાંખીયો જંગ હતો જ્‍યારે 2022માં ત્રિપાંખીયો અને ચતુર્થ પાંખીયો જંગ ખેલાયો હતો. તેથી દેખીતી રીતે જ ભલુ મતદાનની ટકાવારી ઘટી પણ મતોનું ધ્રુવીકરણ ચોક્કસ થયું હોવાથી તેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે. ફક્‍ત ધરમપુર, કપરાડામાં રિવરલીંકનો મુદ્દો રહ્યો છે. બાકી ત્રણ બેઠકો માટે કોઈ પ્રભાવી મુદ્દો હતો નહીં. જોવુ એ રહેશે કે આવતીકાલે કહી ખુશી, કહી ગમના દૃશ્‍યો જોવા મળશે. અંતે મતદારોનો ચુકાદો જે આવે તે 35 ઉમેદવારોએ માથે ચઢાવવો જ રહ્યો.

Related posts

દાનહના બાલદેવી ગામમાં માટી ખનન સ્‍થળે મામલતદારે ટીમ સાથે રેડ પાડી બે ડમ્‍પર અને એક જેસીબી જપ્ત કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

વિદ્વાન ન્‍યાયાધીશનો આદેશ: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીઓને ફરીથી 7 સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

Leave a Comment