April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે : બપોરે 3 વાગ્‍યા સુધી પરિણામ આવી જશે : ચુસ્‍ત બંદોબસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લાની પાંચી વિધાનસભા બેઠકની સામાન્‍ય ચૂંટણીનું મતદાન ગત તા.01 ડિસેમ્‍બરના રોજ પૂર્ણ થયું હતું. વર્તમાન ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આપ અને અપક્ષ મળી કુલ 35 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તા.01 ડિસેમ્‍બરે મતદારોએ 1823 ઈવીએમમાં મત નાખીને 35 ઉમેદવારોનું ભાવિ કેદ કર્યું હતું. આવતીકાલ 8મી ડિસેમ્‍બરના રોજ વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં જ્‍યાં સ્‍ટ્રોંગ રૂમ હતો ત્‍યાં મત ગણતરી સવારે 8:00 કલાકે હાથ ધરાશે. બપોરે 3 વાગ્‍યા સુધીમાં પાંચ બેઠકોનું પરિણામ સંભવતઃ આવી જશે. આવતીકાલના ગુરુવારના દિવસે મતદારોના ચુકાદો આવી જશે. 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે. કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ અપલક્ષમાં મતગણતરી કેન્‍દ્ર આસપાસ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ખડકી દેવામાં આવશે.
મતગણતરીના પૂર્વ દિવસે આજે સમગ્ર જિલ્લામાં પરિણામ અંગેની ઉત્તેજના સાથે પાનના ગલ્લે અને સલુનોમાં અનેક તર્કવિતર્કો ઘરેલુ રાજકીય પંડિતો પોતપોતાની ડીંગ હાંકતા જોવા મળ્‍યા હતા. વલસાડની પાંચ બેઠકો પૈકી ધરમપુર 64.77 ટકા, વલસાડ61.33 ટકા, પારડી 63.35 ટકા, કપરાડા 75.17 ટકા અને ઉમરગામ 61.75 ટકા મતદાન થયું છે. 2017 ની ચૂંટણી કરતા 2022માં એવરેજ બેઠકો ઉપર 3 થી 13 ટકા મતદાન ઘટયુ છે. પરંતુ 2022ના સમિકરણો અલગ છે. 2017માં માત્ર દ્વિપાંખીયો જંગ હતો જ્‍યારે 2022માં ત્રિપાંખીયો અને ચતુર્થ પાંખીયો જંગ ખેલાયો હતો. તેથી દેખીતી રીતે જ ભલુ મતદાનની ટકાવારી ઘટી પણ મતોનું ધ્રુવીકરણ ચોક્કસ થયું હોવાથી તેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે. ફક્‍ત ધરમપુર, કપરાડામાં રિવરલીંકનો મુદ્દો રહ્યો છે. બાકી ત્રણ બેઠકો માટે કોઈ પ્રભાવી મુદ્દો હતો નહીં. જોવુ એ રહેશે કે આવતીકાલે કહી ખુશી, કહી ગમના દૃશ્‍યો જોવા મળશે. અંતે મતદારોનો ચુકાદો જે આવે તે 35 ઉમેદવારોએ માથે ચઢાવવો જ રહ્યો.

Related posts

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment