Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

સંઘપ્રદેશના પ્રવાસન માટે સીમાચિહ્‍્નરૂપ બનનાર જમ્‍પોરના પક્ષીઘરના નિર્માણમાં કોઈ કચાશ બર્દાસ્‍ત નહીં : પ્રશાસકશ્રીએ અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરને આપેલા જરૂરી દિશા-નિર્દેશો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે મોટી દમણના જમ્‍પોર બીચ ખાતે બની રહેલ પક્ષીઘરનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્ર માટે એક મોટું સીમાચિહ્‍્‌ન બની રહેનાર પક્ષીઘરના નિર્માણ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કોઈપણ પ્રકારની કચાશ કે ક્ષતિ નહીં રહી જાય તે બાબતે પોતે અંગત રસ લઈ રહ્યા છે. ખાસ કરીને મોટી દમણ માટે રામસેતૂ બીચ રોડ બાદ પક્ષીઘર પ્રવાસીઓ માટે મહત્‍વનું આકર્ષણનું કેન્‍દ્ર બનશે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે સાંજે બારિકાઈથી પક્ષીઘરના નિર્માણનું ફક્‍ત નિરીક્ષણ જ નથી કર્યું, પરંતુ જ્‍યાં જ્‍યાંકચાશ કે ક્ષતિ દેખાઈ ત્‍યાં ત્‍યાં સંબંધિત કોન્‍ટ્રાક્‍ટર અને અધિકારીઓનું ધ્‍યાન પણ દોર્યું અને વિદેશથી આવનારા પક્ષીઓને અનુકૂળ યોગ્‍ય વાતાવરણ મળી રહે તે પ્રકારની વ્‍યવસ્‍થાને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સાથે કાર્યવાહક સલાહકાર શ્રી ગૌરવસિંહ રાજાવત, જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, પ્રશાસકશ્રીના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, જાહેર બાંધકામ સચિવ શ્રી સૌરભ મિશ્રા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિત પ્રશાસનિક અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાની દમણના છપલી શેરી ખાતે સી.એસ.આર. અંતર્ગત સ્‍કોટ કાયશા દ્વારા નિર્મિત ટોયલેટ બોક્ષનું ખુલ્લી જગ્‍યામાં વહી રહેલું ગંદુ પાણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

Leave a Comment