Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજથી લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો નરોલી રોડનો જૂનો પુલ જર્જરિત થઈ ગયેલ છે અને ઘણાં લોકો આવવા જવા માટે આ જૂના પુલનો ઉપયોગ કરે છે નરોલી રોડ પુલ જૂનો હોવાને કારણે કોઈ અનહોની પણ થઈ શકે એમ છે. આ પુલનું સમારકામ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી દંડ પ્રક્રિયા સંહિતા 1973, ત્‍ જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા કલમ 144 અંતર્ગત આદેશ જારી કરી નરોલી રોડનો જૂનો પુલ બંધ રહેશે. આ આદેશ જારી કર્યાના 30 દિવસ સુધી નરોલી રોડના નવા બ્રિજનો જ ઉપયોગ કરી શકાશે. જે કોઈપણ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ સજાને પાત્ર ઠરશે.

Related posts

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા ડીઝલ પંપના મશીનો બદલાવા કરાયેલી માંગ

vartmanpravah

Leave a Comment